આઇસીસીયુને જ બાયપાસની જરૃર છતમાંથી પાણી પડવાનો સિલસિલો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા બનાવેલા
અતિસંવેદનશીલ ગણાતા ક્રિટીકલ કેર યુનિટમાં સતત પાણી પડવાને કારણે ઇન્ફેક્શન કંટ્રોલની ગુણવત્તા સામે પણ સવાલો
સિવિલ હોસ્પિટલના એકમાત્ર આઈસીસીયુમાં હાલ પાણી ટપકવાનું પ્રમાણ
એટલું વધી ગયું છે કે અહીંનો ૧૫ નંબરનો બેડ ખાલી રાખવો પડી રહ્યો છે. માત્ર એટલું જ
નહીં, તંત્રને છતમાંથી
ટપકતું પાણી રોકવા માટે આઇસીસીયુની અંદર બેથી ત્રણ જગ્યાએ મોટા પ્લાસ્ટિકના ડ્રમ મુકવા
પડી રહ્યા છે જેથી પાણીનો પ્રવાહ નિયંત્રિત કરી શકાય. આ રીતે પાણીનું ટપકવું એક ગંભીર
મુદ્દો બનીને ઉભરી આવ્યું છે,
ખાસ કરીને ત્યારે જ્યારે આઈસીસીયુમાં પહેલેથી જ પથારીની અછત છે અને જીવલેણ સ્થિતિમાં
આવેલા દર્દીઓ માટે દરેક બેડ મહત્વનો હોય છે.
આઈસીસીયુ જેવી અતિ સંવેદનશીલ અને સ્ટેરાઈલ ઝોન ગણાતી જગ્યા
માટે છતમાંથી પાણી ટપકવાનું બાબત ઈન્ફેક્શન કંટ્રોલના નિયમોને પણ પડકારિત કરી રહી
છે. આવી સ્થિતિમાં દર્દીઓને માવજત આપતી તબીબી ટીમ તથા નસગ સ્ટાફને પણ મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો છે.પ્રાથમિક તારણ મુજબ આઈસીસીયુની ઉપરના માળે આવેલ બાળકોના
વિભાગમાંથી પાણી લીક થતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેદરકારી તાત્કાલિક
દુર ન કરવામાં આવે તો આઈસીસીયુની કામગીરી પર સીધો અસર પડે તેવી શક્યતા છે.









