ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ IAS કમલ દયાણીને સોંપાયો, એ કે રાકેશને કૃષિ વિભાગમાં મુક્યા
આસિત વોરાના રાજીનામા બાદ રાજ્ય સરકારે IAS એ કે રાકેશની નિમણૂંક કરી હતી
અમદાવાદઃ હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આ પેપરકાંડના બે મહિના બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. તેમના સ્થાને IAS એ.કે. રાકેશને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે બોર્ડના ચેરમેનનો ચાર્જ સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીને સોંપવામાં આવ્યો છે. IAS એ.કે. રાકેશને રાજ્ય સરકારે કૃષિ વિભાગમાં મુક્યા છે.
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતાં રાજીનામું આપ્યું હતું
હેડ કલાર્કની 186 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ હતી પણ પ્રશ્નપત્ર ફુટતા સરકારે પરીક્ષા રદ કરવી પડી હતી. આ પેપરલીક કૌભાંડના કારણે રાજ્યભરમાં હોબાળો મચ્યો હતો. પેપરલીક કૌભાંડ બાદ ખાસ કરીને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ઉઠયો હતો. આસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામુ આપ્યુ હતું. હવે કમલ દયાની ભરતી પરીક્ષાની કાર્યવાહી પર નજર રાખશે.