'તેના અનેક સાથે આડા સંબંધ છે', અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને પતિએ મોતને વ્હાલુ કર્યું હતું. મૃતકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો તે પહેલા વીડિયો બનાવીને પત્નીના ત્રાસ અને આર્થિક છેતરપિંડી મામલે જણાવ્યું હતું. આ ઉપરાંત, મૃતકે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. સમગ્ર મામલે રાણીપ પોલીસે વીડિયો અને સુસાઇડ નોટના આધારે આરોપી પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ગત 22 માર્ચ, 2026ના રોજ રાણીપ વિસ્તારમાં દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્ની ભગવતીના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા દશરથે 6.51 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ વિશે જણાવે છે. પતિએ આપઘાત કરી લેતા પત્ની ફરાર થઈ ગઈ હતી. જો કે, પોલીસે તેને ઝડપી પાડી હતી.
વીડિયોમાં મૃતક તેની પત્ની ભગવતી, લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા જેવા વ્યક્તિના નામનો ઉલ્લેખ કરીને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા. દશરથે જણાવ્યુ હતું કે, તેની પત્ની ભગતી વારંવાર પોતે આપઘાત કરી લેશે તેમ કહીને ધમકી આપતી હતી. આર્થિક છેતરપિંડી, પત્નીના પર પુરુષ સાથેના આડા સંબંધો અને ઘરકંકાસથી કંટાળીને અંતે દશરથે જીવન ટૂંકાવ્યું હતું.
સમગ્ર મામલે મૃતકના ભાઈ દેવશીએ આક્ષેપ કર્યા છે કે, 'મારા ભાઈએ કરેલી કમાણી, તમામ તેની પત્ની ભગવતીએે પડાવી લીધી હતી. પત્નીના આડા સંબંધના કારણે દશરથ ભાંગી ગયો હતો.' પોલીસે આપઘાતના કેસ મામલે મૃતકના પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








