જામનગરમાં અંધાશ્રમ નજીક મુંબઈ દવાબજાર કોલોનીમાં પત્નીની ફરિયાદ બાદ પતિ દારૂના નશામાં ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરના અંધાશ્રમ પાસે આવેલી દવા બજાર કોલોની વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે દારૂના નશામાં તોફાન મચાવતાં એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, અંધાશ્રમ પાસે દવા બજાર કોલોનીમાં રહેતી મુસ્કાનબેન ગોહીલે 112 ઇમરજન્સી સેવામાં ફોન કરીને જાણ કરી હતી કે તેમના પતિ નયન દિનેશભાઈ ગોહીલ દારૂ પીધેલી હાલતમાં ઘરમાં તોફાન મચાવી રહ્યા છે. જાણ મળતા 112 પોલીસની ટીમ સ્થળ પર પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટેશન ખાતે પંચોની હાજરીમાં તપાસ દરમિયાન નયન ગોહીલના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું તેમજ તેઓ નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેમની આંખો લાલ હતી અને શરીરનું સંતુલન પણ જાળવી શકતા ન હોવાનું પોલીસે નોંધ્યું હતું. વધુમાં દારૂ પીવા અંગે કોઈ પાસ-પરમિટ રજૂ કરી શક્યા ન હતા. આથી પોલીસે નયન દિનેશભાઈ ગોહીલ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી હતી, અને વધુ તપાસ હાથ ધરી છે.








