Jamnagar : જામનગર શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે શહેરની ઓળખ સમાન ઐતિહાસિક ઇમારતો રણમલ તળાવ-લાખોટો કોઠો તથા તાજેતરમાં રેસ્ટોરેશન પામેલ ભુજીયા કોઠાનાં લાઇટ ડેકોરેશનથી તળાવની પાળે મનમોહક વાતાવરણ અને દ્રશ્ય આભા ઉદભવી છે. દિવાળીના તહેવારો દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગબેરંગી લાઈટોની રોશની ગોઠવીને નગરજનો માટે અનેરૂં આકર્ષણ ઊભું કર્યું છે. જે મનમોહક રંગબેરંગી દ્રશ્યો જોઈને નગરજનો પ્રફુલ્લિત થયા છે.
બીજી તરફ જામનગર મહાનગરપાલિકા અને સેવા સદન સહિતની સરકારી કચેરીઓમાં પણ રોશનીનો શણગાર કરવામાં આવતા જામનગર શહેરમાં દિવાળી પર્વનો માહોલ જામી રહ્યો છે.


