Gujarat

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ

By GS TEAM
19 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદી માહોલને પગલે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મિનિ વાવાઝોડુંની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આજે(19 માર્ચ) 37 તાલુકામાં મેઘગર્જના અને ભારે પવન સાથે માવઠું પડ્યું છે. જેમાં રાજકોટમાં દોઢ ઈંચ કમોસમી વરસાદ થયો છે. તેમજ ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ

Rajkot Weather : ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદી માહોલને પગલે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મિનિ વાવાઝોડુંની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આજે(19 માર્ચ) 37 તાલુકામાં મેઘગર્જના અને ભારે પવન સાથે માવઠું પડ્યું છે. જેમાં રાજકોટમાં દોઢ ઈંચ કમોસમી વરસાદ થયો છે. તેમજ ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે.

રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ

રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં મિનિ વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાવવાને પગલે ધૂળની ડમરીઓ ઊડી રહી છે, કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેર, ધોરાજી અને ઉપલેટા સહિતના અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો છે.


જેતપુરમાં ભારે પવનની સ્થિતિ

જેતપુર શહેર અને આસપાસના પંથકમાં જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી હતી. ભારે પવનના કારણે જેતપુર પોલીસ સ્ટેશનનું મુખ્ય બોર્ડ પણ ધરાશાયી થયું હતું. તેમજ શહેરમાં વીજ પુરવઠાને અસર પહોંચી હોવાનું જણાય છે. 

ધોરાજી-ઉપલેટામાં ધોધમાર કમોસમી વરસાદ

કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પટલો આવતા પવનની ગતિ તેજ બનવાની સાથે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં રાજકોટના ધોરાજી-ઉપલેટામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ

ખેડૂતોમાં ભારે ચિંતા

રાજ્યમાં ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.