એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, આરપીએફ સહિતની ટીમો ઉપસ્થિત રહી
કાલ્પનિક
દુર્ઘટનામાં માલગાડીની ટક્કરથી ઘાયલ થયેલા ૧૨ કર્મચારીઓના બચાવનો સફળ અભ્યાસ
સુરેન્દ્રનગર - રાજકોટ રેલવે ડિવિઝન
દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આપત્તિ અને દુર્ઘટના વ્યવસ્થાપનની તૈયારીઓની
સમીક્ષા કરવા માટે હાઈ-ઇન્ટેન્સિટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રિલમાં
એનડીઆરએફ, રેલવે
અધિકારીઓ, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ,
સ્થાનિક પોલીસ, આરપીએફ તથા રાજ્ય સરકારની
જિલ્લા ડિઝાસ્ટર ટીમોએ પણ ભાગ લીધો હતો. આ મોકડ્રીલ દરમિયાન સવારે રતલામ રેલવે
ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોેરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની
સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા ૦૮ પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર
થઈ ગઈ. આ ટક્કરના પરિણામે કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર ૧૨
રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ થવાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. જેની જાણ થતા જ
તમામ ટીમો દ્વારા ઈજાગ્રસ્ત કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી
પહોંચાડયા હતા અને બપોરે સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ તેમજ મોક ડ્રિલ
જાહેર કરવામાં આવી હતી.


