Get The App

ભુજની જવેલર્સ પેઢીના ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદની કાર્યવાહી સ્થગિત રાખવા હાઇકોર્ટનો હુકમ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ભુજની જવેલર્સ પેઢીના ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદની કાર્યવાહી સ્થગિત રાખવા હાઇકોર્ટનો હુકમ 1 - image

ભાગીદારીમાં નીકળતા એક કરોડ સબબ ઠગાઈ ગુનો નોંધાવ્યો હતો

ભુજ: ભુજની જવેલર્સે પેઢીના ભાગીદારે 10 વર્ષ જુના કિસ્સામાં દિવાની તકરારને ફોજદારી સ્વરૂપ આપી કરેલ ફરિયાદની કાર્યવાહીને હાઈકોર્ટે સ્થગિત રાખવા હુકમ કર્યો હતો. 

ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ સોની પ્રેમજી ગોવિંદજી નામની પેઢી તથા બીજી કે.જે. જવેલર્સના નામની બંને પેઢીમાં કિશોર પ્રેમજી સોની તેમના પત્ની તથા પુત્ર અને નાનાભાઇ જયેશભાઈ પ્રેમજી સોલંકી તેમના પત્ની અને પુત્ર પરિવારના સભ્યો ભાગીદાર હતા. વર્ષ ૨૦૧૮ના દિવાળીના તહેવાર બાદ પેઢીને લઈ કૌટુંબીક વિવાદ શરૂ થતા પેઢી બંધ થઇ હતી. ત્યારબાદ કુટુંબ અને સમાજના લોકો સમાધાન માટે ગયેલ પરંતુ જયેશ પ્રેમજીએ કબુલ ન કરતા વર્ષ ૨૦૨૧માં બંને ભાગીદાર પેઢીમાં તકરાર થયો હતો. કિશોર પ્રેમજી સોનીએ હાઈકોર્ટમાં અરજી કરી અને બંને પક્ષકારની સહમતીથી આરબીટેટરના એમ.એ. માજી મુખ્ય ન્યાયધિશ મુંબઈ અને કલકતા હાઈકોર્ટની નિમણુંક કરવામાં આવી હતી. તેઓ નિવૃત્ત થતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના સ્થાનેના અભીલાસ કુમારી, ચીફ જસ્ટીસ મણીપુર નિવૃત્તની નિમણૂક કરવામાં આવી હતી. દરમિયાન કિશોર સોલંકી તરફથી ભુજ બી. ડીવીઝન પોલીસમાં અંદાજીત ૫૪ કિલો સોનું તેમજ અંદાજીત ૧૧૪ કિલો ચાંદીને રોકડ રૂપિયા ૪૦ લાખની ચોરીની ફરિયાદ તેના નાનાભાઈ જયેશ સોલંકી અને રાઘવ જયેશ સોલંકી સામે નોંધાવી હતી.પોલીસે બન્નની ધરપકડ કરી હતી. ત્યાર બાદ બન્ને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતોને આધિન જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૨૨થી બંને પેઢીની તકરાર આરબીટેટમાં મેટર ચાલુમાં છે. તેમ છતાં જયેશ સોલંકી દ્વારા ૧૦ વર્ષ બાદ તેમના મોટાભાઇ કિશોર પ્રેમજી સોલંકીને આરબીટેટ કેસના સાહેદ ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી પર વિશ્વાસઘાતને ઠગાઈનો કેસ કર્યો હતો. જેમાં તેમના નિકળતા રૂ।. ૧ કરોડ આપતા નથી તેવી ફરિયાદ કરી હતી. આવા લેણા સંબંધે કોઈ બુકસ કે આધાર ન હોવા છતાં ગુન્હો નોંધાવતા કિશોર પ્રેમજીએ હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. તમામ પક્ષકારોને સાંભળી હાઈકોર્ટ આ ફરિયાદના અનુસંધાને આગળની કાર્યવાહી સ્થગિત કરાવી ચાર્જશીટ ન કરવા હુકમ કર્યો હતો. ઉપરાંત સાહેદ ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી સામે પણ ગુન્હો નોંધાતા તેમણે એડી. સેસન્સ જજ ભુજની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે તમામ પક્ષકારોને સાંભળી આગોતરા જામીન મંજુર કરેલ છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ રદ્દ કરવાને કિશોરભાઈ તરફે જાલ ઉનવાલા કાઉન્સીલ તરીકે તથા સિનિયર એડવોકેટ પી.પી. મજમુદાર તથા મુર્ગેશભાઈ બારોટ હાજર રહ્યા હતા. તેમજ આગોતરા જામીન સંબંધે ભુજના એડવોકેટ ડી.વી. ગઢવી, વાય.બી.વોરા, અતુલ નેમચંદ મહેતા, એચ.કે. ગઢવી, એસ.એસ. ગઢવી હાજર રહ્યા હતા.