Get The App

વડોદરાની વિરાસતોથી માહિતગાર કરવા હેરિટેજ વૉક યોજાઈ , 50થી વધુ લોકોએ જાણ્યો ઈતિહાસ

હેરિટેજ એક્સપર્ટના મતે આજની પેઢીને મહારાજા સયાજીરાવના સ્થાપત્યો અંગે જાણકારી આપવી જરૂરી

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાની વિરાસતોથી માહિતગાર કરવા હેરિટેજ વૉક યોજાઈ , 50થી વધુ લોકોએ જાણ્યો ઈતિહાસ 1 - image
શહેરના કોઠી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઈમારતોથી નાગરિકોને માહિતગાર કરવા માટે આજે હેરિટેજ એક્સપર્ટ અને ટુરિસ્ટ ગાઈડ દ્વારા "કોઠી સેક્ટર હેરિટેજ વૉક"નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય દંડક અને ધારાસભ્ય, કાઉન્સિલરો, બાળકો, હેરિટેજ પ્રેમીઓ સહિતના લોકોએ આ વૉકનો આનંદ માણ્યો હતો.

વડોદરા શહેર ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે. આજની પેઢીને આ શહેરના ઐતિહાસિક સ્થળો અને ઇતિહાસ અને વારસાને જાણવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે શહેરના હેરિટેજ એક્સપર્ટ અને ટુરિસ્ટ ગાઈડ ડૉ . શ્રીનિવાસ સોલાપુરકર દ્વારા કોઠી હેરિટેજ વૉક યોજાઈ હતી. જેમાં જૂની કોઠી કચેરીથી શરૂ થઈ જયસિંગરાવ પુસ્તકાલય, કોઠી કચેરી , સૂર્યનારાયણ બાગ, માણેક રાવ અખાડો, મહર્ષિ અરવિંદ નિવાસ, વિવિધ અખાડા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. અને ઇમારતોના રસપ્રદ ઇતિહાસ બાબતે હેરિટેજ વોકમાં જોડાયેલા લોકોને માર્ગદર્શન અપાયું હતું. મળતી માહિતી મુજબ આ અંગે મુખ્ય દંડક અને ધારાસભ્યનું કહેવું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા શહેરની વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા યુનેસ્કો તરફથી વડોદરાને હેરિટેજ દરજ્જો મળવા જઈ રહ્યો છે, ત્યારે આવી પહેલ પ્રશંસનીય છે, કોઈપણ શહેરમાં જઈએ ત્યારે તે શહેરનું ઐતિહાસિક - પૌરાણિક મહત્વ સમજાવવા પ્રવાસીઓ માટે ટુરિસ્ટ ગાઈડ મહત્વનુ સ્થાન બને છે. જ્યારે ટુરિસ્ટ ગાઈડનું કહેવું હતું કે, મહારાજા સયાજીરાવના સ્થાપત્યો મહત્વના છે, વિશેષ કરીને શિક્ષણ ક્ષેત્રના સ્થાપત્ય સાથે અનેક ઐતિહાસિક ઇમારતોની જાણકારી આપવી જરૂરી છે. 

Tags :