Gujarat

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની

By GS TEAM
19 Apr 20262 mins read
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની

ડીએસપી સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે

હત્યાની ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં આગચંપી કરી, રિઝર્વ પોલીસ ફોર્સ ખડકાઈ

ધંધુકા -  ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની છે. રોષે ભરાયેલા ટોળાએ શહેરના જુદાં-જુદાં સ્થળોએ આગ ચંપી કરી છે. બનાવને લઈને ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સ્થિતિને કાબુમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે. બનાવને પગલે શહેરમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને પગલે એક ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકી કરણપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૃ કર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસની દુકાનોમાં આગચંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસા પર કાબૂ મેળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં હિંસક ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે. સ્થિતિને કાબુમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે. હત્યાના આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ