હારીજ-ચાણસ્મા હાઇવે પર એસટી બસ-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે જ મોત
Road Accident: રાજ્યમાં સતત અકસ્માતનો બનાવ વધતા જાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક અકસ્માતના બનાવની ઘટના સામે છે. પાટણના હારીજ-ચાણસ્મા હાઇવે પર એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકો ભીડ એકઠી થઇ હતી અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હારીજ તાલુકાના દાંતરવાડા નજીક સોમવારે બપોરના સમયે રસુલપુરા ગામના બે યુવાનો બાઈક પર પોતાને ગામ તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન સામેથી આવતી હિંમતનગર અંજાર બસની સાથે બાઈક ટકરાતા 25 વર્ષીય ઠાકોર માનજીજી રાજાજીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે હસમુખભાઇ ભીખાભાઇ વાલ્મિકીને ગંભીર ઇજાઓ થતા પાટણ ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. એસટી ડ્રાઈવર પોલીસ સ્ટેશન હાજર થઈ જતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.