Get The App

દેશના વિવિધ રાજ્યોમાં પોસ્ટ વિભાગ દ્વારા સુરતમાંથી 1 કરોડ 24 લાખ રાષ્ટ્રધ્વજ રેલ્વે અને રોડ મારફતે લઈ જવામાં આવ્યા

Updated: Aug 12th, 2022

GS TEAM

Google News
Google News
દેશના વિવિધ રાજ્યોમાં પોસ્ટ વિભાગ દ્વારા સુરતમાંથી 1 કરોડ 24 લાખ રાષ્ટ્રધ્વજ રેલ્વે અને રોડ મારફતે લઈ જવામાં આવ્યા 1 - image

સુરત,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવાર

75માં સ્વાતંત્ર્ય પર્વ પર સ્વતંત્રતાના અમૃત પર્વ ની દેશમાં ધામધુમપૂર્વક  ઉજવણી થઈ રહી છે. હર ઘર તિરંગા અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.આ અભિયાન માં ટપાલ વિભાગે અત્યાર સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર દેશમાં સુરતમાંથી જ હાલ તિરંગા જઈ રહ્યા છે છે.અને દેશ ના વિવિધ રાજ્યોમાં પોસ્ટ વિભાગ દ્વારા સુરતમાંથી 1 કરોડ 24 લાખ રાષ્ટ્રધ્વજ રેલ્વે અને રોડ મારફતે લઈ જવામાં આવ્યા છે. 

ભારતીય ટપાલ વિભાગ સમગ્ર  દેશના ખૂણે ખૂણે સામાન્ય માણસ સુધી ત્રિરંગાને પહોંચાડવાનું કાર્ય કરી રહી છે.  દેશની દરેક નાની-મોટી પોસ્ટ ઓફિસમાં માત્ર રૂ.25ના ખર્ચે 20*30 ઇંચનો રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલ દ્વારા ઓનલાઈન ઓર્ડરિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના દ્વારા નાગરિકોને તેમના ઘર આંગણે ધ્વજ પહોંચાડવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ  પ્રીતિ અગ્રવાલએ કહ્યું કે  પોસ્ટ વિભાગ ના નવતર પ્રયાસોથી નાગરિકોમાં 2 લાખ 44 હજાર ધ્વજનું વિતરણ કર્યું છે. 585 ઓનલાઈન ઓર્ડર પણ આપ્યા હતા. હર ઘર ત્રિરંગા ઝુંબેશને જનતા સુધી પહોંચાડવા માટે તમામ 10 પોસ્ટલ વિભાગોમાં 38 પ્રભાતફેરી અને રેલીઓ કાઢવામાં આવી છે.  યુવા પેઢીને આ અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરવા મુખ્ય પોસ્ટ ઓફિસોમાં સેલ્ફી પોઈન્ટ પણ સજાવવામાં આવ્યા છે.  છેલ્લા દસ દિવસથી સુરત પોસ્ટલ ડિવિઝન અને સુરત રેલ પોસ્ટલ સર્વિસના અધિકારીઓ અને કર્મચારીઓ અવિરતપણે કામ કરી રહ્યા છે અને દેશભરની પોસ્ટ ઓફિસોમાં વિતરણ માટે સુરતમાંથી 1 કરોડ 24 લાખ ફ્લેગ્સ રેલ સર્વિસ અને રોડ મારફતે પહોંચાડ્યા છે.  દિવસ અને રાત દરરોજ એક પછી એક દેશના વિવિધ ભાગો જેવા કે હાવડા, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, સિકંદરાબાદ, મુંબઈ, ત્રિવેન્દ્રમ રાયપુર, ભોપાલ, જયપુર રેલ્વે પાર્સલ બુક કરીને, પાર્સલ વાન દ્વારા, માર્ગ પરિવહન નેટવર્ક દ્વારા પહોંચાડવામાં આવે છે. ધ્વજની ગુણવત્તાની કાળજી લેવા માટે, ધ્વજના સપ્લાય વેરહાઉસમાં ખાસ ટીમ રાખવામાં આવી હતી. આ રીતે, પોસ્ટ વિભાગે 'હર ઘર તિરંગા' અભિયાનમાં તેના મિશન અનુસાર દરેક ભારતીય નાગરિકના જીવનને સ્પર્શવાનું કામ કર્યું છે.

Tags :