જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેનનું કોરોનાથી નિધન
અમદાવાદ, તા. 26 મે 2020 મંગળવાર
જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેન ચૌધરીનું આજ રોજ 26 મે 2020 મંગળવારના રોજ કોરોનાથી નિધન થયું છે. પારૂબહેન ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ સારવાર અર્થે અપોલો હોસ્પિટલમાં એડમિટ હતા. આજે સવારે જ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સાહિત્યકાર રઘુવીરભાઇ તેમના દિકરા સંજયભાઇને ઘરે જ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. રઘુવીરભાઈ દરેક સર્જન પહેલા પારૂબેનને સંભળાવતા હતા.