Gujarat

'વાઈબ્રન્ટ' ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી!

By GS TEAM
10 May 20262 mins read
TukuTouch Logo
રાજ્ય સરકાર ‘નંબર વન’ ગુજરાતના બણગા ફૂંકી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગના આંકડાઓએ આરોગ્યની કથળતી સ્થિતિની પોલ ખોલી છે. આવનારી પેઢીને સુરક્ષિત રાખવા માટે ચાલી રહેલા સરકારી અભિયાનો વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેલ્લા બે વર્ષમાં જ 801 ગર્ભવતી મહિલાઓ જ નહીં, 12,700 લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. ટૂંકમાં, વાઈબ્રન્ટ ગુજરાતમાં એચઆઈવીના આંકડાનો પણ ‘પોઝિટિવ’ વિકાસ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વાઈબ્રન્ટ' ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી!

Gujarat HIV Reality Exposed: રાજ્ય સરકાર ‘નંબર વન’ ગુજરાતના બણગા ફૂંકી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગના આંકડાઓએ આરોગ્યની કથળતી સ્થિતિની પોલ ખોલી છે. આવનારી પેઢીને સુરક્ષિત રાખવા માટે ચાલી રહેલા સરકારી અભિયાનો વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેલ્લા બે વર્ષમાં જ 801 ગર્ભવતી મહિલાઓ જ નહીં, 12,700 લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. ટૂંકમાં, વાઈબ્રન્ટ ગુજરાતમાં એચઆઈવીના આંકડાનો પણ ‘પોઝિટિવ’ વિકાસ થયો છે.

માતા-પિતાથી બાળકોને થતું સંક્રમણ રોકવા લાખો કરોડોનો ધુમાડો 

નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના પબ્લિક હેલ્થ મિશનના દાવાઓ કદાચ ફાઈલોમાં જ સીમિત રહી ગયા હોય તેમ લાગે છે. રાજ્ય સરકાર ‘માતા-પિતાથી બાળકને થતું સંક્રમણ’ રોકવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાંય એચઆઈવી પર કાબુ મેળવી શકાયો નથી. ચિંતાનું કારણ તો એછેકે, એચઆઈવીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 

આ પણ વાચો: 'જનનીની જોડ સખી...' ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'!

વર્ષ 2024-25માં માતાપિતાથી બાળકો સંક્રમિત ન થાય તે માટે એચઆઈવીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે 20,54,028 લાખોનું પરિક્ષણ કરાયુ હતું જેમાં 7762 લોકોને એચઆઈવી હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષ 2025-26માં 13,27,387 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 4938 લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. વર્ષ 2024-25 અને વર્ષ 2025-26માં 23 લાખ મહિલાઓનો એચઆઈવી ટેસ્ટ કરવામાં હતો તેમાં 807 સગર્ભા એચઆઈવી વાયરસથી સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, બે વર્ષમાં માત્ર ગર્ભવતી માતાઓ જ નહીં, પણ રાજ્યમાં કુલ 12,700 લોકોમાં એચઆઈવીના લક્ષણો દેખાયા હતાં.