Get The App

કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન 1 - image


Vadodara News: આજે 22 એપ્રિલના રોજ વહેલી સવારે 8 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ બાબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં સામેલ હતા. આ દરમિયાન વડોદરાના એક ટૂર ઓપરેટરના પિતા દિલીપભાઈ માળીનું કેદારનાથ ધામમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. દર્શનના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાથી અન્ય યાત્રિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સ્થાનિક તંત્રની બેદરકારીના આક્ષેપ

આ ઘટના બાદ મૃતક દિલીપભાઈના પુત્ર અને ટૂર ઓપરેટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેઓ અત્યંત વ્યથિત જણાઈ રહ્યા છે અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, તેમણે સ્થાનિક તંત્ર પાસે મદદ માંગી, પરંતુ સમયસર કોઈ સહાય ન મળી.

કેદારનાથ જેવી ઊંચાઈવાળી જગ્યાએ ઓક્સિજનની કમી અને ઠંડીને કારણે હૃદયરોગના હુમલાનું જોખમ રહેતું હોય છે. હાલમાં આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.