Gujarat

ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર

By GS TEAM
20 Dec 20251 min read
TukuTouch Logo
‘સરની કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયેલા છે. આ પૈકી 84.30 લાખ જેટલા મતદારો માત્ર અમદાવાદ અને સુરત જિલ્લામાંથી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર

Ahmedabad Migration: ‘સરની કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયેલા છે. આ પૈકી 84.30 લાખ જેટલા મતદારો માત્ર અમદાવાદ અને સુરત જિલ્લામાંથી છે. 

આ ઉપરાંત કાયમી સ્થળાંતરિત થયા હોય તેવા સૌથી વધુ મતદારો મામલે પણ અમદાવાદ અને સુરત જિલ્લા મોખરે છે. અમદાવાદમાંથી 8.63 લાખ, સુરતમાંથી 8.60 લાખ મતદારોનું કાયમી સ્થળાંતર થયેલું છે. અમદાવાદમાંથી 2.53 લાખ, સુરતમાંથી 1.47 લાખ જ્યારે રાજકોટમાંથી 89 હજાર જેટલા મૃત્યુ પામેલા મતદારોનું નામ હોવાનું સામે આવ્યું છે.