ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી HMATનુ પરિણામ જાહેર
અમદાવાદ, તા. 4 નવેમ્બર 2022 શુક્રવાર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 16 ઓક્ટોબરે HMATની પરીક્ષા લેવામાં આવી હતી. જેનુ 49.02% જેટલુ પરિણામ આવ્યું છે.
હાઈસ્કૂલના આચાર્ય માટે લેવાયેલી આ પરીક્ષામાં 50.98% શિક્ષકો નાપાસ થયા. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય બનવા માટેની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં 5.573 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, સુરત જિલ્લામાં આચાર્યની પરીક્ષાનું આયોજન કરાયું હતું. HMATની પરીક્ષા માટે રાજ્યમાંથી 7,815 ઉમેદવારો રજીસ્ટર થયા હતા.