Gujarat

'સ્માર્ટ મીટર' ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો

By GS TEAM
14 Feb 20261 min read
TukuTouch Logo
પોરબંદર સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાડવાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારનું મીટર લગાડવું ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી તેવો ઘટસ્ફોટ રાણાવાવના એક અરજદારે કરેલી આર.ટી.આઇ.માં બહાર આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સ્માર્ટ મીટર' ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો

Smart Meter Row: પોરબંદર સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાડવાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારનું મીટર લગાડવું ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી તેવો ઘટસ્ફોટ રાણાવાવના એક અરજદારે કરેલી આર.ટી.આઇ.માં બહાર આવી છે. 

સુપ્રીમ કોર્ટમાંથી કોઇ હુકમ થયો નથી

રાણાવાવના અમરદડ વિસ્તારમાં જડેશ્વર રેલવે ક્રોસિંગ સામે રહેલા માધવજી લક્ષ્મણ ડોડીયાએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ પાસે આર.ટી.આઇ. કરીને કેટલીક વિગતો માંગી હતી. જેમાં સ્માર્ટ મીટર લગાડવં ફરજિયાત છે કે નહીં તે અંગે ઉંડાણથી માહિતી માંગી હતી. તેના જવાબમાં તંત્રએ એવું જાહેર કર્યું છે કે વીજ ગ્રાહકે ‘સ્માર્ટ મીટર’ લગાવવું તેવો કોઇપણ હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી થયો નથી.

આ પણ વાંચો: ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને 'લોટરી', 37 મામલતદારની બદલી

આ ઉપરાંત જૂનું મીટર કોઇપણ રીતેના વિવાદો વગર નિયમિત રીતે ચાલું હોઈ તેની જગ્યાએ નવું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે તેવો કોઇ કાયદો કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલો હોય તો તે કાયદાનું નામ અને કોલમ ‘સેકશન વીથ એક્ટ’ અંગેની દાખલ કરેલી અરજી, રીટ અંગેનો કોઇ રેકોર્ડ અત્રેની કચેરીએ ઉપલબ્ધ નથી તેમ જણાવ્યું છે.