Get The App

સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો, 207 જળાશયોમાં 44 સરેરાશ ટકા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો, 207 જળાશયોમાં 44 સરેરાશ ટકા 1 - image


Sardar Sarovar Dam: ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો. 

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: LRD પરીક્ષા માટે GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે, 2.48 લાખ ઉમેદવારો હાજર રહેવાની શક્યતા

સરકારે 'સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન', 'નલ સે જલ અભિયાન' જેવા જળ સંચયના અનેક અભિયાનો શરુ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાને કરેલા ‘કેચ ધ રેઇન’ના આહ્વાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઇન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.O’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. 

આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-3 જળાશયમાં હાલ 91 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં 82 ટકાથી વધુ, રાજકોટના ભાદર-2માં 77 ટકાથી વધુ છોટા ઉદેપુરના સુખી જળાશયમાં 74 ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-2માં 73 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.  

જ્યારે રાજ્યના 06 જળાશયો 70થી 100 ટકા, 20 જળાશયો 50થી 70 ટકા તેમજ 71 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

Tags :