Get The App

ગુજરાત સરકાર ખેડૂતો માટે લાવી નવી યોજના, 1 લાખનું ઈનામ આપશે, જાણો કેવી રીતે મેળવી શકાશે લાભ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકાર ખેડૂતો માટે લાવી નવી યોજના, 1 લાખનું ઈનામ આપશે, જાણો કેવી રીતે મેળવી શકાશે લાભ 1 - image


Gujarat Government News : રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન ટેક્નિક રજૂ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1.00 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે.

આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. 


Tags :