ગુજરાતમાં જંત્રી દર અંગે મહત્વની જાહેરાત, ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાયો
ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું
રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો, ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો, ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે
ગુજરાત સરકારે નવા જંત્રી દરને લઈ મોટી જાહેરાત કરી છે. નવી જંત્રી મુજબ ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. તો રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો, ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો, ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણો નક્કી કરાયો છે તથા ખેતી તથા જમીન, બાંધકામના સંયુકત દરમાં ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ૧.૫ ગણા (દોઢા) કરવાનું નક્કી કરાયું છે.
રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટેની રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય 15 એપ્રિલ-2023થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા 15/04/2023થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં તા. 04 ફેબ્રુઆરી-2023થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યા હતા, જેનો અમલ તા.15 એપ્રિલ-2023થી કરવાનુ અગાઉ તા. 11 ફેબ્રુઆરી-2023ના ઠરાવથી જણાવ્યું છે. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં તા. 04/02/2023થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.15/04/2023થી કરવાનુ અગાઉ 11/02/2023ના ઠરાવથી ઠરાવેલ.
પેઈડ FSI માટે આ નિર્ણયો લેવાયા
ખેતીથી - ખેતી 25 ટકા ના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ ખેતીથી - બિનખેતી 40 ટકા ને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે. જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને FSIના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ FSIમાં લાગુ નહીં પડે. ઉપરાંત TDRનો ઉપયોગ કરવામાં આવે તેવા મામલમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલાશે.
નવો જંત્રી દર 15/04/2023ની અમલ
વધુમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવા નક્કી કરાયું છે. જ્યારે જમીન + બાંધકામના સંયુકત દરમાં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા (દોઢા) કરવાનું તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. 18/4/2011ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. 04/02/2023થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. 15/04/2023થી આ દર 1.5 ગણા (દોઢા) કરવામાં આવ્યા છે.