અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રીનું વડોદરા એરપોર્ટ પર લેન્ડિંગ
Ahmedabad Plane Crash : અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા લેન્ડ થયા હતા અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે અમદાવાદ રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખેડૂત સંમેલનના કાર્યક્રમમાં બારડોલી નજીકના સાંકળી ગામે ગયા હતા અને ત્યાંથી સુરત પહોંચ્યા હતા.અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ ની તમામ ફ્લાઈટ રદ કરી દેવાતા તેઓ સુરતથી એરક્રાફ્ટ માં વડોદરા એરપોર્ટ પર લેન્ડ થયા હતા.
લગભગ પંદરેક મિનિટના રોકાણ બાદ તેઓ વડોદરા એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ રવાના થયા હતા.