ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat BJP New in charges: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરતા રાજ્યના તમામ 42 જિલ્લા અને મહાનગરો માટે નવા પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભાજપના વિવિધ સાત મોરચાઓમાં પણ નવા પ્રભારીઓની પણ વરણી કરાઈ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, તાત્કાલિક અસરથી તમામ નવનિયુક્ત પ્રભારીઓને પોતાની જવાબદારી સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. આ નવી યાદીમાં પ્રશાંત કોરાટને સુરત શહેર, ઋત્વિજ પટેલને વડોદરા જિલ્લા અને વર્ષાબેન દોશીને આણંદ જિલ્લાના પ્રભારી તરીકે મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ભરત ડાંગરને મહેસાણા અને હિતેન્દ્રસિંહ ચૌહાણને વડોદરા શહેરના પ્રભારી બનાવી સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


ભાજપના વિવિધ સાત મોરચાઓમાં પણ નવા પ્રભારીઓની વરણી
જિલ્લાઓ ઉપરાંત ભાજપના વિવિધ સાત મોરચાઓમાં પણ નવા પ્રભારીઓની વરણી કરવામાં આવી છે. જેમાં યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલ અને મહિલા મોરચામાં શબ્દશરણ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે. તે જ રીતે OBC, SC, ST, કિસાન અને લઘુમતી મોરચામાં પણ અનુભવી નેતાઓને સુકાન સોંપી આગામી રાજકીય પ્રવૃત્તિઓ વેગવંતિ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી પ્રશાંત કોરાટની સહી સાથે જાહેર કરાયેલી આ યાદીમાં વહીવટી કુશળતા અને પ્રાદેશિક સંતુલનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.










