Get The App

૧ જુલાઈ પછી ત્રણ વર્ષ જૂના રિટર્નમાં કોઈપણ ફેરફાર કરવા નહિ દેવાય

જૂના રિટર્નમાં ંસુધારા કરવાના બાકી હોય તો ૩૦મી જૂન સુધીમાં સુધારા કરીને અપલોડ કરી દેવાની છેલ્લી તક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નવો વ્યવસ્થા અમલમાં આવશે

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
૧ જુલાઈ પછી ત્રણ વર્ષ જૂના રિટર્નમાં કોઈપણ ફેરફાર કરવા નહિ દેવાય 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

પહેલી જુલાઈ ૨૦૨૫ પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ત્રણ વર્ષ જૂના રિટર્નમાં કોઈ જ ફેરફાર કરવાની છૂટ આપવામાં આવશે નહિ. પરિણામે આપોઆપ જ જનરેટ થઈ જતાં જીએસટીઆર-બીમાં કોઈ જ ફેરફાર થઈ શકશે જ નહિ. તેથી ૨૦મી જૂન ૨૦૨૨ પહેલાના રિટર્નમાં કોઈપણ ફેરફાર કરવા શક્ય બનશે નહિ. જીએસટીના રિટર્નમાં ફેરફાર કરીને ખોટી રીતે કરવામાં આવતી જીએસટીની ચોરી રોકવા અને ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેતી અટકાવવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

સીજીએસટીના પોર્ટલ પર મૂકવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ફાઈનાન્સ એક્ટ ૨૦૨૩માં સીજીએસટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારામાં જણાવવામાં આવ્યું હતું કે કરદાતાને ત્રણ વર્ષ પૂરા થયા બાદ તેમના રિટર્નમાં કોઈ જ ફેરફાર કરવા દેવામાં આવશે નહિ. આર રિટર્નમાં વેપારીએ કરેલા વેચાણની વિગતો આપવામાં આવે છે. કલમ ૩૭ની જોગવાઈ હેઠળ આ રિટર્ન ફાઈલ કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે કલમ ૩૯ હેટળ જવાબદારીઓ અદા કરવા માટે, કલમ ૪૪ હેઠળ વાર્ષિક રિટર્ન ભરવા માટે,કલમ ૫૨ હેટળ ટીડીએસની વિગતો અપલોડ કરવા માટે રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. આ તમામ કલમો હેઠળ જીએસટીઆર-૧, જીએસટીઆર-૩બી અને જીએસટીઆ-૪ જમા કરાવવામાં આવે છે. તેમ જ જીએસટીઆર-૫, જીએસટીઆર ૫એ, જીએસટીઆર-૬, જીએસટીઆર-૭, જીએસટીઆર-૮ અને જીએસટીઆર-૯ ફાઈલ કરવામાં આવે છે. 

પરંતુ હવે ત્રણ વર્ષ પૂરા થયા બાદ ઉપરોક્ત એક પણ રિટર્ન સુધારીને કે અન્ય રીેતે ફાઈલ કરવાની છૂટ મળશે નહિ. આમ વીસમી જુલાઈ ૨૦૨૫થી ત્રણ વર્ષ અગાઉના રિટર્નમાં સુધારો ન થઈ શકે તે માટે પોર્ટલ પર તે તમામ રિટર્નને બ્લોક કરી દેામાં આવશે. આ સાથે જ કરદાતાઓને તેમના જૂના રિટર્નનું મેળવણું-રિકન્સિલિયેશન કરી લેવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમ જ તેમના જૂના રિટર્ન બને તેટલા વહેલા ફાઈલ કરી દેવા જણાવવામાં આવ્યું છે. ૩૦મી જૂન સુધી જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓએ તેમના ત્રણ વર્ષ જૂના રિટર્નમાં કોઈ સુધારા હોય તો તે કરી લેવા પડશે. 

આ નવી વ્યવસ્થાને કારણે વેપારીઓ મોડા મોડા કાયદાકીય જોગવાઈનું પાલન કરે તેવું શક્ય બનશે નહિ. તેમ જ તેનાથી ટેક્સ સિસ્ટમમાં નિયમિતતા આવશે. પરંતુ જેમના કોર્ટ કેસ કે એપેલેટ ટ્રિબ્યુનલના કેસ પેન્ડિંગ હોય કે પછી જેમનાથી સાચે જ ભૂલ થઈ ગઈ હોય તેવા કરદાતાઓની હાલાકી વધી જશે. તેમને નાણાંકીય નુકસાન થવાની પણ સંભાવના છે.

આ જ રીતે જુલાઈ ૨૦૨૫થી જીએસટીઆર ૩બીમાં પણ કોઈ સુધારા કરી શકાશે નહિ. જીએસટીઆર ૩-બી ઓટો પોપ્યુલેટેડ છે. ત્યારબાદ રજિસ્ટર્ડ વેપારીએ જીએસટીઆર-૧એના માધ્યમથી જ તેમની સામેની ઓટોપોપ્યુટેલેટ લાયેબિલીટીમાં ફેરફાર કરી શકશે. જીએસટીઆર ૧એ પણ આ જ સમયગાળામાં ભરીને અપલોડ કરી દેવું પડશે.


Tags :