Get The App

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2022નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

Updated: May 12th, 2022

GS TEAM


Google News
Google News
ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2022નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક 1 - image


- વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના લગભગ સમાન પરિણામ

- ઓવરઓલ પરિણામ 67.04 પર્સન્ટેજ

ગાંધીનગર, તા. 12 મે 2022, ગુરૂવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તમામ વિદ્યાર્થીઓને પરિણામની શુભેચ્છાઓ. આ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે. 

ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.06 ટકા આવ્યું છે. રાજ્યની 61 જેટલી શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું આવ્યું છે. 85.78%  સાથે રાજકોટ સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે જ્યારે 40.19% સાથે દાહોદ સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. 

પરિણામ જાણવા માટે

બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરીને પરિણામ જાણી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે. ત્યાર બાદ 10 દિવસ પછી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. 

જોકે મેડિકલ અને ઈજનેરીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે, મેડિકલના પ્રવેશ યુજી-નીટ આધારિત થતાં હોય છે અને સરકારી ઈજનેરી કોલેજમાં 5 ટકા બેઠકો JEEના આધારે ભરાતી હોવાથી સમગ્ર પ્રવેશ પ્રક્રિયા એક સાથે શરૂ થતી હોય છે. 

ગુજરાત શિક્ષણ બોર્ડની ધો. 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા ગત તા. 28મી માર્ચથી 12મી એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. આ વર્ષે ધો. 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી નોંધાયેલી. ધો. 12 સાયન્સમાં 95,982 રેગ્યુલર અને 11,984 રીપિટર સહિત કુલ 1,07,966 વિદ્યાર્થીઓ હતા. જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો અને 1,07,692 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 1,02,913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.


ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2022નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક 2 - image

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2022નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક 3 - image

ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, માર્ચ 2022

વિગત

માર્ચ 2022

ઉપસ્થિત નિયમિત ઉમેદવારોની સંખ્યા

95,361

ઉ.મા. શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા

68,681

નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી

 72.02%

ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા

10,986

ઉ.મા. શાળાંત પ્રમાણપત્રને પાત્ર પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા

2,619

પુનરાવર્તિત ઉમેદવારોના પરિણામની ટકાવારી

23.84%

નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ(Male)

72.00%

નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female)

72.05%

વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર

96.12% (લાઠી)

ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર

33.33% (લીમખેડા)

વધુ પરિણામ ધરાવતો જિલ્લો

85.78% (રાજકોટ)

ઓછું પરિણામ ધરાવતો જિલ્લો

40.19% (દાહોદ)

100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા

64

10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળોની સંખ્યા

61

A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા

196

A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા

3,303

અંગ્રેજી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી

72.57%

ગુજરાતી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી

72.04%

A ગ્રુપના ઉમેદવારોનું પરિણામ

78.40%

B ગ્રુપના ઉમેદવારોનું પરિણામ

68.58%

AB ગ્રુપના ઉમેદવારોનું પરિણામ

78.38%

દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા

157

20% પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા

38

 

ગેરરીતિના કેસની સંખ્યા

122

 

Tags :