વડોદરામાં ક્રિકેટ રમવા બાબતે જૂથ અથડામણ : લોખંડની પાઇપ અને લાકડીઓ વડે હુમલો, 15 સામે ગુનો નોંધાયો
Vadodara Crime : વડોદરા જિલ્લાના અનગઢ ગામે રહેતા બે જૂથો વચ્ચે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને પક્ષના લોકો સામ સામે આવી ગયા હતા અને મારા મારી કરવા લાગ્યા હતા. ઉપરાંત એકબીજા પર લોખંડની પાઇપ તથા લાકડીઓ વડે પણ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ગામમાં ધીંગાણું બચી જતા લોકોના ટોળા જામ્યા હતા. બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 15 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના જિલ્લા અનગઢ ગામે આવેલા સોમનાથ નગરમાં રહેતા સુનિલભાઈ લક્ષ્મણભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે ગત 1 જૂનના રોજ સાંજના ચારેક વાગ્યા દરમ્યાન હું તથા મારા મિત્રો સાથે અનગઢ ગામ વાડીયાવગો ખાતે આવેલા રબારીના પડતર ખેતરમાં ક્રિકેટ રમતા હતા. તે વખતે અમારા ફળીયામાં રહેતા સંદિપ અંબાલાલ ગોહિલ તથા તેના કાકાના દિકરાઓ અમારી પાસે આવી મને અમારા બાજુના ખેતરમાં ક્રિકેટ રમવી નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો. પરંતુ અમારે તે ઝઘડા બાબને અંદરો અંદર સમાધાન પણ થઈ ગયુ હતું. 3 જૂનના રોજ રાત્રિના પોણા આઠેક વાગ્યા દરમ્યાન હું તથા મારી માતા કપિલાબેન તથા નાના ભાઈ હિતેશ સાથે ઘરે હાજર હતા જ્યારે મારા પિતા બજારમા ગયા હતા. ત્યારે જ અમારા ફળીયામાં રહેતા વિજયભાઈ હરમાનભાઈ ગોહિલ તથા વિપુલભાઈ હરમાનભાઈ ગોહિલ અમારા ઘરની આગળ આવી બે દિવસ પહેલા ક્રિકેટ રમતી વખતે કેમ મારા કાકાના દીકરા સંદિપ સાથે ઝઘડો કર્યો હતો. તેમ કહીને મને ગમેતમ ગંદી ગાળો આપવા લાગ્યો હતો. જેથી મેં આ વિજય તથા વિપુલ ગોહિલને ગાળો નહીં આપવાનું કહ્યું હતું ત્યારે તેઓ બન્ને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મને માર મારવા લાગ્યા હતા. તે વખતે મારો નાનો ભાઈ હિતેશ તથા માતા કપિલાબેન તથા પિતા લક્ષ્મણભાઈ મને છોડાવવા વચ્ચે આવતા વિજયના પિતા હરમાન પ્રભાતભાઈ ગોહિલ તથા તેના કાકા ખુમાનસિંહ ગોહિલ સહિતના 12 જેટલા લોકો દ્વારા ભેગા મળી ઢોર માર માર્યા બાદ લોખંડની પાઈપ અને લાકડી વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ લોકોએ ચારેય જયા દેખાશો ત્યા જ તમને પતાવી દઈશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ફળિયામાં લોકો ભેગા થઈ જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. મને તથા મારા ભાઈ તેમજ માતા પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા અમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષના વિજયભાઇ પ્રભાતભાઇ ગોહીલે નોંધાવેલી ફરિયાદ મુજબ 3 જૂનના રોજ રાત્રીના પોણા આઠ વાગ્યાના સમય દરમ્યાન હું તથા ભાઇ વિપુલ સાથે મારા ઘરેથી અનગઢ ગામ બજાર ખાતે જતા હતા. તે વખતે અમારા ફળીયામાં રહેતા હિતેશભાઈ લક્ષ્મણભાઈ ગોહીલ તથા સુનીલભાઈ લક્ષ્મણભાઇ ગોહીલ તથા કપીલાબેન લક્ષ્મણભાઈ ગોહીલ બે દિવસ પહેલા ક્રીકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. તે વાતને લઈને ગમે તેમ ગાળો આપી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી નંદેસરી પોલીસ દ્વારા બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધણીને એકબીજા પર હુમલો કરનાર 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આરોપીઓના નામ
(1) હરમાનભાઈ પ્રભાતભાઈ ગોહિલ
(2) ખુમાનસિંહ પ્રભાતભાઈ ગોહિલ
(3) અર્જુનસિંહ હરમાનભાઈ ગોહિલ
(4) સુરેશભાઈ હરમાનભાઈ ગોહિલ
(5) વિજ્યભાઈ હરમાનભાઈ ગોહિલ
(6) વિપુલભાઈ હરમાનભાઈ ગોહિલ
(7) નિલેશભાઈ અંબાલાલ ગોહિલ
(8) શૈલેષભાઈ બુધાભાઈ ગોહિલ
(9) ભરતસિંહ ખુમાનસિંહ ગોહિલ
(10) ઈન્દ્રજીત ખુમાનસિંહ ગોહિલ
(11) ગૌરીબેન અર્જુનસિંહ ગોહિલ
(12) રાધાબેન ખુમાનસિંહ ગોહિલ
(13) હિતેશભાઈ લક્ષ્મણભાઈ ગોહીલ
(14) સુનીલભાઈ લક્ષ્મણભાઇ ગોહીલ
(15) કપીલાબેન લક્ષ્મણભાઇ ગોહીલ
ઇજાગ્રસ્તોને સયાજી તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
અનગઢ ગામમાં બે પરિવારના જૂથો વચ્ચે સર્જાયેલા ધીંગાણામાં એકબીજા પર હુમલો કરવા સાથે મુઢ મારવામાં આવ્યો હતો. જેમાં કેટલાક લોકોને બીજા પહોંચી હતી. જેથી આઈ જાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તથા કેટલાકને નંદેસરીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.