Gujarat

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો બંધ કરવાયા

By GS TEAM
18 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં પર્યાવરણ પ્રદુષણને અટકાવવા ગુજરાત પ્રદૂત નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગંદા અને બિનશુદ્ધ પાણીનો નિકાલ કરતા ઔધોગિક એકમો સાથે જીપીસીબી દ્વારા વર્ષ દરમિયાન જામનગર શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત 34 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 19 એકમો બંધ કરાવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો બંધ કરવાયા

Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં પર્યાવરણ પ્રદુષણને અટકાવવા ગુજરાત પ્રદૂત નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગંદા અને બિનશુદ્ધ પાણીનો નિકાલ કરતા ઔધોગિક એકમો સાથે જીપીસીબી દ્વારા વર્ષ દરમિયાન જામનગર શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત 34 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 19 એકમો બંધ કરાવાયા છે.

શહેરની ઔધોગિક વસાહતો તેમજ ગીચ વિસ્તારોમાં આવેલી કેટલીક ફેક્ટરીઓ, કે જે ફેક્ટરીઓમાં જીપીસીબીની નિયમિત તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી હતી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગંદા પાણીનો સીધો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતાં આ બાબતે છેલ્લા 1 વર્ષ દરમિયાન કુલ 34 એકમોને કારણદર્શક નોટિસ આપી તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જયારે 19 એકમો બંધ કરાવવામાં આવ્યા છે. 

તાજેતરમાં જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ચાર કારખાનેદારો પોતાના ઔદ્યોગિક માંથી ગંદા પાણી કોઈપણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર બહાર નાલામાં છોડતા ઝડપાયા હતા. તેમને સ્થળ પર નોટિસ પાઠવીને પ્રદૂષિત પાણીના સેમ્પલ પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.