Gujarat

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની ખેડૂતો માટેની રાહત પેકેજની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ કરાઈ

By GS TEAM
9 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના 1.41 લાખ ખેડૂતો પૈકી 24 હજાર ખેડૂતોને રૂ.83.82 કરોડની રાહત પહોંચતી કરી દેવાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની ખેડૂતો માટેની રાહત પેકેજની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ કરાઈ

Jamnagar : જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની રાહત પેકેજ અંતર્ગત અરજીઓ કરવાની મુદ્દત્ત પુરી થઈ છે. આ દરમિયાન જિલ્લાના 23,859 ખેડુતોને રૂ.83 કરોડ 82 લાખ 99,759ની રકમની રાહત તેના ખાતામાં જમા કરવામાં આવી છે. ઓક્ટોબર માસના કમોસમી વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લામાં અને ખાસ કરીને જામનગર જિલ્લાના ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાની થઈ ગયાની હકિકતો સામે આવી હતી.

 પંચાયતના ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા જિલ્લાના 417 ગામોમાં સર્વે કરીને નુકશાનીનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો. જે બાદ તંત્રએ ગત નવેમ્બર માસમાં રાહત સહાય મેળવવાની અરજીઓ સ્વીકારવાનું પોર્ટલ દ્વારા શરુ કર્યું હતું. જેની મુદ્દત્ત તા.5 ડિસેમ્બરે પુર્ણ થતાં જામનગર જિલ્લાના ધ્રોલના 13,419 ખેડુતો, જામજોધપુરના 23,418 ખેડૂતો. જામનગર સીટીના 537 ખેડુતો, જામનગર રૂરલના 29,595 ખેડુતો, જોડીયાના 19,298 ખેડુતો, કાલાવડના 32,426 ખેડુતો તથા લાલપુરના 21,954 ખેડુતો મળીને કુલ 1,41,353 ખેડુતોએ રાહત પેકેજ મેળવવા અરજીઓ કરી છે. જે પૈકીના 23,859 ખેડુતોને રૂ.83,82,99,759ની સહાય ચુકવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. તેઓના બીલ જનરેટ થઈ ચુક્યા છે, અને રકમો ખાતામાં આવવા લાગી છે. આમ સરકારે તા.5ના રોજ અરજીનું પોર્ટલ બંધ કરવા સાથે સાથે ચુકવણાની સમાંતર પ્રક્રિયા હાથ ધરીને મહત્તમ ખેડુતોને વહેલામાં વહેલી તકે સહાય પહોંચી જાય. તેવી રીતે કામગીરી કરી છે.