Gujarat

વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ

By GS TEAM
16 May 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોને કોઈ હોદ્દાની ફાળવણી થઈ નથી છતાં પણ હજી પણ જુદા જુદા કારણે રોડ રસ્તા ખોદવાની કાર્યવાહી ચાલી રહી છે. શહેરના ગોરવા પંચવટી પાસે કેનાલની બંને બાજુ વરસાદી ગટર પાઇપલાઇનની કામગીરી કાલે તા.17થી શરૂ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોને કોઈ હોદ્દાની ફાળવણી થઈ નથી છતાં પણ હજી પણ જુદા જુદા કારણે રોડ રસ્તા ખોદવાની કાર્યવાહી ચાલી રહી છે. શહેરના ગોરવા પંચવટી પાસે કેનાલની બંને બાજુ વરસાદી ગટર પાઇપલાઇનની કામગીરી કાલે તા.17થી શરૂ કરાશે. આ કામગીરી 15 દિવસ સુધી ચાલશે. જેથી ગોરવા મધુનગર જંકશનથી કરોડીયા તરફ જતા કેનાલ ઓવરબ્રિજનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરાશે જેની અવેજીમાં ડાયવર્ઝનના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા પંચવટી પાસે નર્મદા કેનાલની બંને બાજુ વરસાદી ગટર લાઈન ક્રોસિંગ કરવાની કામગીરી કરવાની છે. જેથી આ રોડ રસ્તે એવી મશીનરીઝ, મજૂરો કારીગરોની હેરફેર કરવા તેમજ જાહેર સલામતી માટે કામગીરી બાબતે આ રોડ રસ્તા પર વૈકલ્પિક રૂટ સિંગલ લેનમાં ડાયવર્ટ કરી કામ કામગીરી અંગે જરૂરિયાત મુજબ આવતી કાલ રવિવાર, તા.17થી 15 દિવસ માટે સિંગલ લેનનો રસ્તો બંધ કરીને બંને તરફથી પાઇપલાઇન ક્રોસિંગ નાખવાની કામગીરી શરૂ કરવાની છે. જેથી વૈકલ્પિક રસ્તાને ડાયવર્ટ કરીને કામગીરીની સરળતા અને જરૂરિયાત મુજબ રસ્તો સંપૂર્ણપણે બંધ કરીને પ્રિ-કાસ્ટ બોક્સ નાખવાની કામગીરી પૂરી કરવામાં આવશે. પરિણામે ગોરવા મધુનગર જંકશનથી કરોડિયા તરફ જતા કેનાલ ઓવરબ્રિજનો રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે ગોરવા પંચવટી પાસે નર્મદા કેનાલ નજીક રોડ સિંગલ લેન્ડ અને મધુનગર જંકશનથી કરોડિયા ગામ તરફ જતા કેનાલ ઓવરબ્રિજ રોડ સંપૂર્ણ બંધ રહેશે. જેના વિકલ્પે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા પાલિકા ડ્રેનેજ અને ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવ્યું હતું.