Get The App

222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીએ જ થાય છે દર્શન

Updated: Apr 17th, 2024

GS TEAM


Google News
Google News
222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીએ જ થાય છે દર્શન 1 - image


Gold Ramayana in Surat: વિશ્વમાં સુરતમાં જ એક એવો ગ્રંથ હશે કે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહીથી લખવામાં આવ્યો છે અને તે છે સુવર્ણ રામાયણ. વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતના એક એવા રામભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાથી ઈન્કથી લખ્યો છે. દુલર્ભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમા 222 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે.

રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવાયા હતા

ભગવાન રામ ના જીવન કાળ પર તૈયાર થયેલી રામાયણના એક એક શબ્દો સોનાની ઈન્કથી લખવામાં આવ્યા છે. 530 પાનાની અને ૨૨૨ તોલા સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું બનાવામાં આવ્યું છે. અને તેના પર 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા માણેક અને નીલમણિ જેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 222 તોલા સોનું અને 19 કિલોનું વજન વાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવાયા હતા. આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી.આ ઉપરાંત સોનાની ઈન્કથી લખાયેલા પાના વચ્ચે મૂકવામાં આવેલા બટર પેપર પર પણ 5 કરોડ વાળ શ્રી રામ લખવામાં આવ્યું છે. પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે.

પુષ્ય નક્ષત્રમાં નવ કલાકમાં 40 લોકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આ રામકુંજમાં રહેતા દંપતી રાજેશકુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેના સ્વર્ગસ્થ દાદા ગોકળભાઈ ભક્તે આ રામાયણ સને- 1981માં તૈયાર કરી હતી. તેઓ શ્રીરામના ભક્ત હતા. તે વખતે પુષ્ય નક્ષત્રના દિવસોમાં નવ કલાકમાં 40 લોકો દ્વારા તૈયાર થઈ હોવાનું કહેવામાં આવે છે. હીરા અને અન્ય કિંમતી રતોથી સજ્જ સોનાની રામાયણને વર્ષમાં માત્ર એક જ વાર રામ નવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછી મૂકવામાં આવે છે.


Tags :