Gujarat

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક

By GS TEAM
17 Feb 20261 min read
TukuTouch Logo
ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પ્રારંભ, 01 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક

Agniveer : ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે અગ્નિવીર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આર્મી રિકૃટિંગ ઓફીસ, જામનગર દ્વારા આગામી તા.01/06/2026 થી તા.15/06/2026 દરમિયાન અગ્નિવીર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમાં સહભાગી થવા ઈચ્છતા જામનગર જિલ્લાના લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તા.13/02/2026થી શરૂ કરવામાં આવી છે, જે તા.01/04/2026 સુધી ચાલશે. ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 

આ ભરતી મેળામાં સામેલ થવા માટે ઉમેદવારની ઉંમર 17.50 થી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ 08 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં માત્ર અપરિણીત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. ભરતી અંગેની વધુ વિગતો માટે ઉપરોક્ત સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.