Get The App

સોના પર લોનના જાહેર થનારા નવાનિયમને કારણે નાના અને સીમાંત ખેડૂતો લોન નહીં મેળવી શકે

નવા નિયમોને કારણે સોનાના મૂલ્યના ૫૫થી ૬૦ ટકા જ લોન મળતા લોન લેનારને વ્યાજ પણ મોંઘું પડતું લાગશે

રૃ. ૨ લાખ સુધીની ગોલ્ડ લોન માટેના નિયમો એકદમ હળવા રાખવાની ભલામણ કરાઈ

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
સોના પર લોનના જાહેર થનારા નવાનિયમને કારણે નાના અને સીમાંત ખેડૂતો લોન નહીં મેળવી શકે 1 - image


ગોલ્ડ લોન માટે નવા નિયમોનો અમલ પહેલી જાન્યુઆરી ૨૦૨૬ સુધી લંબાઈ જવાની સંભાવના

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

રિઝર્વ બેન્કના નવા સૂચિત નિયમોને કારણે નાના અને સીમાંત ખેડૂતા તથા ગરીબોેને ઓચિંતાની નાણાંની જરૃર ઊભી થાય ત્યારે  લોન મળી શકશે નહિ. ખેડૂતો પાસે સોનાની ખરીદીના બિલ પણ ન હોવાથી તેમની પાસે બધાં જ ડોક્યુમેન્ટ કે બિલ મેળવવા મુશ્કેલ બને છે. તેમને લોન ન મળે તો તેમની ખેતી પર તેની મોટી અસર આવી શકે છે. નવા નિયમોને કારણે લોન લઈને વર્ષને અંતે આખી રકમ ચૂકવી દેવાનું પસંદ કરનારાઓને તો ગોલ્ડના મૂલ્ય પર ૫૫ ટકા જેટલી જ લોન મળી શકશે. તેથી નાના અને સીમાંત ખેડૂતોએ ઊંચા મૂલ્યના સોના સામે માંડ ૫૫ ટકા લોન મેળવીને વધુ વ્યાજ ચૂકવવું પડશે. 

કેન્દ્રના નાણાં ખાતાએ પણ રિઝર્વ બેન્કને જણાવ્યું છે કે નિયમોની ચુસ્તતાને કારણે ખેડૂતો ને ગરીબો લોનથી વંચિત ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જરૃરી છે. તેમ જ રૃા. ૨ લાખ સુધીની લોન માટેના નિયમો હળવા રાખવા અને ગોલ્ડ લોનના નવા નિયમોનો અમલ વિલંબથી કરવા પણ જણાવ્યું છે.તેથી  ગોલ્ડ લોનના નવા નિયમો પહેલી જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવે તેવી સંભાવના છે.

અત્યારે લેવાતી ગોલ્ડ લોનમાંથી ૪૭ ટકા લોન રૃ. ૩૦,૦૦૦થી ઓછી રકમની ગોલ્ડ લોન લે છે. ગોલ્ડ લોન લેનારા ૬૫ ટકા ગ્રાહકો પાસે આવકના પુરાવાઓ ન હોવાથી તેઓ ગોલ્ડ લોન લેવાનું પસંદ કરે છે. તેમની પાસે પગારની સ્લીપ હોતી જ નથી. બેન્ક કે અન્ય સંસ્થામાંથી ધિરાણ ન મળતું હોય તેઓ ગોલ્ડ લોન લેવાનું પસંદ કરે છે. આ લોકોમાં શેરીમાં બેસતા ફેરિયાઓ, દરજી, સુથારી કામ કરનારા અને નાના પાયા પર સાહસ કરીને બિઝનેસ ઊભો કરવા માટે જફા કરી રહેલા લોકા, નાના અને સીમાંત ખેડૂતો જ ગોલ્ડ લોન લેવાનું પસંદ કરે છે. સોનાની ખરીદીના બિલ રજૂ કરવા તેમને માટે કઠિન છે. તેમની પાસે જીએસટીનું રજિસ્ટ્રેશન કે પછી આવકવેરાના રિટર્નની કોપી પણ હોતી નથી. તેથી ગોલ્ડ લોન પર જ તેઓ મદાર બાંી રહ્યા છે. 

આ સંજોગોમાં વધુ ચુસ્ત કે કડક નિયમો રાખવાથી ગોલ્ડ લોનનું સંપૂર્ણ કામકાજ ખોરવાઈ જવાની સંભાવના છે. ગોલ્ડ લોન માટેના નવા નિયમોને કારણે પૈસાની ઓચિંતી જરૃરિયાત ઊભી થતાં ગોલ્ડ આપીને લોન લેનારા ગરીબ કે મધ્યમવર્ગના લોકોને લોન મળશે જ નહિ. બીજું આ લોન નવી આવક ઊભી કરવા માટે ક ેપછી વપરાશના  હેતુથી લેવાની છે તે અંગેની સ્પષ્ટતા કરાવવી પણ કઠિન છે. 

ખેતી કામ સહિતની નાની મોટી બાબતો માટે અત્યારે રૃ. ૨ લાખ સુધીની લોન માટે સોનાને બાંયધરી તરીકે એટલે કે કોલેટરલ તરીકે રાખીને આપવામાં આવી રહી છે. નાના અને સીમાંત ખેડૂતો આ ગોલ્ડ લોનથી જ તેમનું ગાડું ગબડાવી રહ્યા છે. ભાડે જમીન લઈને ખેતી કરનારાઓ પણ ગોલ્ડ ગિરો મૂકીને તેની સામે લોન લેતા હોવાનું જોવા મળે છે.

રિઝર્વ બેન્કના નવા નિયમોને કારણે ખેતી કરનારાઓને ગોલ્ડ સામે મળતી લોનનું પ્રમાણ ઘટી જશે. તેમ જ ગ્રામીણ વિસ્તારની જનતાને ટાંકણે ધિરાણ મળતું અટકી શકે છે. ડેરી ઉદ્યોગ  સાથે સંકળાયલા પશુપાલકો, મરઘાં-બતકાં ઊછેર કરનારાઓ પણ સોનું ગિરો મૂકીને તેની સામે લોન લેવાનું પસંદ કરે છે. તેમને પણ લોન મળી શકશે નહિ.

અત્યારે ગોલ્ડ લોન આપવા માટે કેવાયસી લેવાય છે. પરંતુ રિઝર્વ બેન્ક ગોલ્ડના બિલનો અને અન્ય પુરાવાઓ પણ રજૂ કરવાનો આગ્રહ રાખી રહી હોવાથી ગોલ્ડ લોન આપવાની કામગીરી એકદમ ધીમી પડી જવાની સંભાવના છે. તેમ જ ગોલ્ડ લોન આપનારાઓએ કરવો પડનારો ખર્ચ વધી જશે. સોનાના મૂલ્ય પ્રમાણે લોન આપવાની વર્તમાન સિસ્ટમને જાળવી રાખવાની ભલામણ કરવામાં આવી રહી છે. રિઝર્વ બેન્કે તેના નિયમોને વધુ ચુસ્ત બનાવ્યા હોવાથી સોનાના મૂલ્યના ૬૫ ટકાથી વધુ લોન આપી જ શકાશે નહિ. તેને માટે લોન લેનાર લોનના નાણાં પરત ચૂકવી આપશે તેવું ડિક્લેરેશન પણ લેવામાં આવે છે. તેનો ઉપયોગ બહુ જ નાની નાની રકમની લોન આપવા માટે કરવામાં આવે છે. તેમાં વારાના દસ્તાવેજી પુરાવાઓ માગવાના નિયમને કારણે અવરો આવી શકે છે.

Tags :