Get The App

બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ 1 - image


Bullet Train News: અમદાવાદના પૂર્વમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત ઓવરબ્રિજ પૈકીના એક ગિરધર નગર ઓવરબ્રિજને આગામી સમયમાં 23 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. બૂલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગેનું જાહેરનામુ પણ પોલીસે બહાર પાડ્યું છે.

શાહીબાગ, અસારવા અને અમદાવાદના કોટ વિસ્તારને જોડતા મહત્વના માર્ગ પર આવેલો ગિરધર નગર ઓવરબ્રિજ આગામી 18 જૂલાઈથી 10 ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. જ્યારે શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. આમ બંને વૈકલ્પિક માર્ગોનો વાહન વ્યવહાર બળિયા લીમડી ચારરસ્તા પર આવતા ત્યાં ટ્રાફિકનું ભારણ વધશે.

બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ 2 - image

કાલુપુર રેલવે સ્ટેશન સામેનો રોડ વધુ એક મહિનો બંધ રહેશે

કાલુપુર રેલવેસ્ટેશનના નવનિર્માણના કામમાં સ્ટેશનની સામેના ભાગે એલિવેટેડ રોડના નિર્માણ માટે વિવિધ કામગીરી સબબ આગામી 31 ઓગસ્ટ સુધી સ્ટેશન સામેના રોડ પર પીલ્લર 24થી પીલ્લર 27 વચ્ચેનો 40 મીટરનો રોડ બંધ કરાયો છે. તાજેતરમાં રથયાત્રા દરમિયાન કામગીરી બંધ કરીને રસ્તો ખોલી આપવામાં આવ્યો હોવાથી હવે આ કામની મુદ્દત એક મહિનો વધારી દેવાઈ હોવાથી 40 મીટરની લંબાઈનો રોડ આગામી 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

ગોમતીપુરમાં ત્રણ મહિના ડાઈવર્ઝન અપાયું 

કાંકરિયા મેટ્રો અન્ડરગ્રાઉન્ડસ્ટેશન બનાવવાની કામગીરી અંતર્ગત ગોતીપુર-રાજપુર ટોલનાકા રોડ પરસેન્ટ જોસેફ સ્કૂલની દીવાલથી રાજપુર ટોલનાકાચાર રસ્તા સુધી 500 મીટર લંબાઈનું ડાઈવર્ઝને આપવામાં આવ્યું છે. જેની અમલવારી 3 જૂલાઈથી 300 સપ્ટેમ્બર એટલે કે ત્રણ મહિના સુધી કરાશે. ડાઈવર્ઝનવાળો આ સમગ્ર રૂટ પોલીસ તંત્ર દ્વારા નો-પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.

Tags :