Gujarat

135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામાં આવશે

By GS TEAM
12 Nov 20252 mins read
TukuTouch Logo
આજકાલના બ્રિજ અને બિલ્ડિંગો છે, 135 વર્ષે આજવાનો 40-50 વર્ષ ખખડી જાય અડીખમ અર્થન ડેમ

Summarized by AI; it may make mistakes. Check important info

135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામાં આવશે

Vadodara Ajwa Sarovar : રાજ્ય સરકારે નિયુક્ત કરેલી નવલાવાલા કમિટિના અહેવાલમાં આધારે આજવા સરોવરના ચાર કિલોમીટરના અર્થન ડેમનું જીઓફિઝીકલ ઈન્વેસ્ટીગેશન કરાવવા સૂચન કર્યું હતું જે આધારે વડોદરા કોર્પોરેશને રૂા.દોઢ કરોડના ખર્ચે 135 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે સર્વે કરાયો છે. તેમાં 135 વર્ષ પછી પણ આજવા સરોવરનો અર્થન ડેમ મજબૂત હોવાનું જણાઈ આવ્યું છે. તેની સાથે સર્વેમાં જે પાણી બહાર આવે છે તેમાં રાહત મળે તે માટે પીઝો મીટર લગાવવામાં આવે તેવું સૂચન કરાયું છે.

આજવા-પ્રતાપપુરા સરોવર ઉંડુ કરવા તેમજ તેના પાળાની મજબૂતી અંગે સર્વે કરવા નવલાવાલાની મિતિએ સૂચન કર્યું હતું. જે આધારે તાજેતરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા ખાનગી એજન્સી પાસેથી આજવા સરોવરના ચાર કિલોમીટરના માટીના પાળાનો (અર્થન ડેમ) સર્વે કરાવવામાં આવ્યો હતો. જે અંગેનો રિપોર્ટ મ્યુનિ.કમિશનરને રજૂ કરવામાં આવ્યો છે.

આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવે અને જૈમિન ભાવસારે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આજવા સરોવરને 135 વર્ષ પૂર્ણ થયા તેને ધ્યાનમાં રાખી સમિતિના સૂચન પ્રમાણે પ્રથમવાર જીઓફિઝીકલ સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં ઈલેકટ્રોનિક વેવ્ઝનો અર્થન ડેમના મટીરીયલમાંથી પસાર કરીને કરવામાં આવ્યો હતો. જેમાં માટીના પાળામાં કોઈ જગ્યાએ સીપેજ કે લીકેજ હોય તેની સંપૂર્ણ જાણકારી મળી શકે છે. આ સર્વેનો અહેવાલ તાજેતરમાં રજૂ થયો છે.તેમણે જણાવ્યું હતું કે, સર્વે દરમિયાન ડેમના અંદરના ભાગમાંથી સીપેજ થઇ આવતુ પાણી અપલીફટ થાય તેના સ્થાને રાહત મળે તે માટે આજવા સરોવરમાં 198 રિલીફ વેલ બનાવવામાં આવેલા છે. તેમાં કેટલુ પાણી ઉપર આવે છે તેના મેજરમેન્ટ માટે પીઝો મીટર મુકવાનું સૂચન કર્યું છે. જે આધારે આજવા સરોવરના સૌથી ઊંચી જગ્યા સહિત પાંચ જગ્યા પર પીઝો મીટર મુકવામાં આવશે.