Get The App

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાનું કહ્યું 8.35 લાખની છેતરપિંડી

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાનું કહ્યું 8.35 લાખની છેતરપિંડી 1 - image

બિલ અર્બન રેસીડેન્સીમાં રહેતા અને ટાયર કંપનીમાં જુનિયર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા દિલીપભાઈ બાબુભાઈ પરમાર અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જેને ડ્રોમાં લાગ્યા હોય અને જેમને સરકારના ધારા ધોરણ મુજબની રકમ ભરપાઈ ન કરી હોય તેવા રિજેક્ટ થયેલા મકાનોની ફાળવણી કરવાની બાકી હતી. મારા માતા જશોદાબેનને મકાન લેવાનું હોવાથી અમે તેની તપાસમાં હતા તે દરમિયાન આરોપી મિતલબેન કાર્તિક સ્વામી સાધુ રહે શિવાલય રેસીડેન્સી ગોત્રી એ જણાવ્યું હતું કે વુડાની ઓફિસમાં મારી ઓળખાણ છે તેમ કહી મનને મકાન આપવાનો ભરોસો અને વિશ્વાસ આપી મારી તથા અન્ય લોકો પાસેથી કુલ 8.30 લાખ રૂપિયા મેળવી લઈ છેતરપિંડી કરી હતી.