ગુજરાતના બીજા એક CMનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ, અગાઉ બળવંત રાય પાકિસ્તાનની ભૂલનો ભોગ બન્યા હતા
Ahmedabad Plan Crash: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જઈ રહેલું વિમાન ઉડાન ભરતા જ ક્રેશ થઈને જમીન પર તૂટી પડ્યું. અમદાવાદ-લંડન એર ઇન્ડિયાના બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફર સવાર હતા, જેમાંથી 169 ભારતીય, 73 બ્રિટિશ, સાત પોર્ટુગલ અને એક કેનેડિયન નાગરિક હતા. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સહિત 241 વધુ મુસાફરોના મોત થયા, જ્યારે માત્ર એક મુસાફર સુરક્ષિત બચી ગયો છે. વિમાને બપોરે 1:38 વાગ્યે રનવેથી ઉડાન ભરી હતી. ઉડાન ભરતા જ ક્રેશ થઈ ગયું. વિમાન ક્રેશ થઈને જે બિલ્ડિંગ પર ટકરાયું, તેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો રહે છે. દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલના 15 ડોક્ટર પણ ઇજાગ્રસ્ત થયા છે.
આ વચ્ચે અમે તમને જણાવી દઈએ કે વિજય રૂપાણી બીજા એવા પૂર્વ મુખ્યમંત્રી છે જેઓ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અગાઉ પણ એક પૂર્વ મુખ્યમંત્રી હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રમણીકલાલ રૂપાણીનું 12 જૂન 2025ના રોજ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ પોતાની પત્ની અંજલી રૂપાણીને લંડન લેવા જઈ રહ્યા હતા. જેઓ છ મહિનાથી પોતાની દીકરી રાધિકાના ઘરે હતા. વિજય રૂપાણી ગુજરાતના 16માં મુખ્યમંત્રી હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા
આ પહેલા વર્ષ 1965માં ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પણ વિમાન દુર્ઘટનામાં જ મૃત્યુ થયું હતું. એ ગાળામાં ભારત અને પાકિસ્તન વચ્ચે યુદ્ધ છેડાયું હતું. આ દરમિયાન 19 સપ્ટેમ્બર, 1965ના રોજ બળવંતરાય મહેતા પોતાના પરિવાર અને સાથીદારો સાથે હેલિકોપ્ટરમાં સવાર થઈને મીઠાપુરથી કચ્છના રણ જઈ રહ્યા હતા. એ વખતે મુખ્યમંત્રી બળવંતરાયનું હેલિકોપ્ટર રનવેની પાસે પહોંચ્યું, ત્યારે પાકિસ્તાની ફાઇટર પ્લેને તે તોડી પાડ્યું હતું.
આ ઘટનામાં મુખ્યમંત્રી બળવંતરાય, તેમના પત્ની સહિત પાંચ પાંચ લોકોના મોત થયા હતા. જો કે, બાદમાં પાકિસ્તાની ફાઈટર પ્લેનના પાયલોટ કૈશ હુસેને આ ભૂલ માટે માફી પણ માગી હતી.