ગેંગરેપના ગુનામાં ભાજપના પૂર્વ વોર્ડ મહામંત્રી આદિત્ય અને ગૌરવસીંગ જેલભેગા
પોલીસે ફર્ધર રિમાન્ડને બદલે કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કરાતા બંનેને લાજપોર જેલમાં મોકલાયા
યુવતીને ફેન્ટામાં વોડકા ભેળવી અર્ધબેભાન કરીને
સુરત
પોલીસે ફર્ધર રિમાન્ડને બદલે કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કરાતા બંનેને લાજપોર જેલમાં મોકલાયા
વેડરોડ વિસ્તારમાં રહેતી યુવતિને કોલ્ડ્રીંક્સમાં કેફી પદાર્થ ભેળવીને અર્ધબેભાન કર્યા બાદ ગેંગરેપ આચરવાના ગુનાઈત કારસામાં ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય તથા તેના મિત્ર ગૌરવસિંહના ચાર દિવસના રિમાન્ડ આજે પુરા થતાં જહાંગીરપુરા પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા ઈન્ચાર્જ કોર્ટે બંને આરોપીઓને જેલ ભેગા કર્યા છે.
સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી યુવતિનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક સાધીને મિત્રતા કેળવીને ભાજપના વોર્ડ નં.8મા મહામંત્રી તથા યુવા મોરચાના અધ્યક્ષ આરોપી આદિત્ય દેવેન્દ્ર ઉપાધ્યાય(રે.આનંદ પાર્ક સોસાયટી,વેડરોડ) તથા તેના મિત્ર ગૌરવ રણવિજય સિંહ(રે.વિશ્રામનગર સોસાયટી,વેડરોડ) યુવતિ તથા તેની મિત્રને ફરવાના બહાને ડુમ્મસ-ડભારી બીચ લઈ ગયા હતા.જ્યાં યુવતિને તરસ લાગતાં કોલ્ડ્રીંક્સમાં વોડકા ભેળવીને યુવતિને અર્ધબેભાન કરી જહાંગીરપુરાની ઓયો હોટેલમાં લઈ જઈને ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય તથા તેના મિત્રી ગૌરવસિંહે યુવતિ પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.જે અંગે ભોગ બનનાર યુવતિએ બંને આરોપીઓ વિરુધ્ધ જહાંગીરપુરા પોલીસાં બીએનએસની કલમ-70(1),75(2),123ની ફરિયાદી તા.17મી મેના રોજ નોધાવી હતી.જેથી પોલીસે બંને આરોપીઓની ગઈ તા.19મી મેના રોજ ધરપકડ કરીને કુલ સાત કારણોસર દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.જેથી કોર્ટે ગુનાની તપાસ માટે બંને આરોપીઓને તા.24મી મે સુધી ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આજરોજ બંને આરોપીઓના રિમાન્ડની અવધિ પુરી થતાં તપાસ અધિકારીએ ઈન્ચાર્જ કોર્ટ સમક્ષ રજુ કરી ફર્ધર રિમાન્ડની માંગ કરવાને બદલે કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કર્યો હતો.જેથી કોર્ટે આરોપી આદિત્ય તથા ગૌરવસિંહને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા.