Gujarat

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી

By GS TEAM
18 Jun 20261 min read
TukuTouch Logo
બાળકીની હત્યા તેના કુટુંબી કાકાએ જ કરી હોવાનો પર્દાફાશ

Summarized by AI; it may make mistakes. Check important info

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી

Vadodara Crime : શિનોર તાલુકાના સતીષાણા ગામેથી પાંચ વર્ષની એક બાળકીનું અપહરણ બાદ તેની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાનો પડદાફાસ થયો છે. બાળકી ખાટલામાં ઉઘતી હતી ત્યારે તેના કુટુંબી કાકાએ જ તેનું અપહરણ કરી હત્યા કરી હોવાની વિગતો બહાર આવી છે.

સતીષાણા ગામે સિકોતેર માતાના મંદિર પાસે રહેતા દિનેશભાઈ રમેશભાઈ રાઠોડિયાની પાંચ વર્ષની દીકરી દિવ્યા ઉર્ફે દિવુ તા.14ની રાત્રે ઘરના ઓટલા ઉપર ખાટલામાં સૂતી હતી. ત્યારે રાત્રે તેનું સનસનાટીભર્યું અપહરણ થયું હતું. આ બનાવ અંગે શિનોર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બાદમાં જિલ્લા પોલીસ દ્વારા બાળકીને શોધી કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. 

ઘટનાને ત્રણ દિવસ પછી બાળકીનો મૃતદેહ વણીયાદ પાસે આવેલ નર્મદા કેનાલમાંથી હત્યા થયેલો મળ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન બાળકીની હત્યા તેના પાડોશમાં જ રહેતા કુટુંબી કાકા અજય લક્ષ્મણ રાઠોડિયેાએ કરી હોવાનો વિગતો બહાર આવી હતી. પોલીસે કડકાઇથી અજયની પૂછપરછ કરતા તેણે પોતે જ આ કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી હતી.