Get The App

પાંચ જે.સી.બી., બાર હિટાચી મશીનથી ચંડોળા તળાવમાં બંધાયેલા ચાર ધાર્મિક સ્થાન તોડી પાડવામાં આવ્યા

સન્માનપૂર્વક ધાર્મિક વિધી કરાવી ખાલી કરાવી બાંધકામ દુર કરવામા આવ્યા

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News

    પાંચ જે.સી.બી., બાર હિટાચી મશીનથી  ચંડોળા તળાવમાં બંધાયેલા ચાર ધાર્મિક સ્થાન તોડી પાડવામાં આવ્યા 1 - image 

  અમદાવાદ,બુધવાર,28 મે,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા ડિમોલીશનની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ કાચા-પાકા બાંધકામ તોડી પડાયા છે. બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચંડોળા તળાવની જગ્યામાં બાંધવામા આવેલા  ચારધાર્મિક સ્થાન  સન્માન પૂર્વક ધાર્મિક વિધી કરાવી ખાલી કરાવાયા પછી આ ધાર્મિક સ્થાન તોડાયા હતા.

આ વિસ્તાર ખુબ સંવેદનશીલ હોવાથી સવારે ૭ કલાકથી ગેરકાયદેસર ધાર્મિક પ્રકારના બાંધકામ તોડવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ ઝોનની નવ ટીમ બનાવી બાંધકામ તોડવાની શરુઆત કરાઈ હતી. અઢી કલાકની કામગીરીમાં પાંચ જે.સી.બી. અને બાર હિટાચી મશીનની મદદથી ધાર્મિક સ્થાનોની સાથે ૫૫ જેટલા કાચા -પાકા મકાનો પણ તોડી પડાયા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવના વિકાસમાં અવરોધરુપ અને ગેરકાયદેસર ધાર્મિક પ્રકારના દબાણો સહીત તમામ બાંધકામ દુર કરવામા આવ્યા હતા.

Tags :