સાવરકુંડલા, લાઠી, બાબરા, જૂનાગઢના શખ્સોની સંડોવણી ખૂલી
તાલાલાના નાગરિકે મિત્રને બેન્ક એકાઉન્ટનું સાહિત્ય આપ્યા બાદ ટ્રાન્ઝેકશનો થતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ
બનાવની વધુ વિગતમાં ગીર સોમનાથ સાઈબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એસ.વી. રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે તાલાલાના નીકુલભાઈ રામના સુત્રાપાડા ખાતે રહેતા મિત્ર નકુલભાઈ રામને લોન લેવા માટે બેન્ક એકાઉન્ટની જરૂર પડતા તેને એસબીઆઈની ચેકબૂક, એટીએમ કાર્ડ, સીમ કાર્ડ આપ્યા હતા. એ પછી આ એકાઉન્ટ બેન્કના રીકવરી એજન્ટને આપ્યું હતું. ત્યાર બાદ એકાઉન્ડમાં ધડાધડ ટ્રાન્ઝેકશનો થવા લાગ્યા હતા.
આ એકાઉન્ટમાં ગત તા.૭ના રોજ સવારથી અગિયાર વાગ્યા સુધીમાં માત્ર પાંચ કલાકમાં જ રૂા. ૧.૭૧ કરોડની જંગી રકમ જમા થતાં મૂળ ખાતેદાર નીકુલ રામ ચોંકી ઊઠયા હતા. તેણે તુરત જ ગીર સોમનાથ સાઈબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી જાણ કરતા સાઈબર ક્રાઈમ ડીટેકશન ટીમે એસબીઆઈ બેન્કનો સંપર્ક સાધી એકાઉન્ટ ફ્રીઝ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કરી આ ટ્રાન્ઝેકશનમાં સંડોવાયેલા સાવરકુંડલાના વસીમ ઉમરભાઈ શેખ, મુબીન જીભાઈ ભટ્ટી, જૂનાગઢના ઉત્સવભાઈ ભરતભાઈ સાગઠીયા, લાઠીના આયુષ ભરતભાઈ ડેર અને બાબરાના હિતેશ કિશોરભાઈ કીડીયાની અટકાયત કરી આ પ્રકારના ટ્રાન્ઝેકશનોમાં કોણ કોણ સંડોવાયેલા છે અને આ સિવાય બીજા કયા કયા એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે અંગે આગળની તપાસ હાથ ધરી છે.


