Get The App

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના 1 - image

 

Godhara Gau Rakha Kendra : પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ઐતિહાસિક અને સખત પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા ગૌ-રક્ષા માટે એક વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે, જેની સાથે ગોધરા રાજ્યનું પ્રથમ 'ગૌ-રક્ષા કેન્દ્ર' બન્યું છે.

શું છે તેનો ઉદ્દેશ્ય? 

આ નવરચિત વિશેષ સ્કવોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં થતી ગૌવંશની હેરાફેરી અને ગૌ-હત્યાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી તેને સંપૂર્ણપણે અટકાવવાનો છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ આ વિશેષ સ્કવોર્ડમાં કુલ 8 અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી છે. આ ટીમ જિલ્લાભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી એકત્રિત કરશે અને તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશે.

આ પ્રસંગે, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે જિલ્લાના તમામ નાગરિકોને એક ખાસ અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ પણ નાગરિકને ગૌ-હત્યા કે ગૌવંશની હેરાફેરી સંબંધિત કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે પ્રવૃત્તિ જણાય, તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે. નાગરિકોના સહયોગથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખવામાં પોલીસને મોટી મદદ મળશે. પંચમહાલ પોલીસ દ્વારા લેવામાં આવેલું આ પગલું ગૌ-રક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણવામાં આવી રહ્યું છે, જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.