Gujarat

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા

By GS TEAM
27 Mar 20261 min read
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા

 અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026

અમદાવાદના શેલામા આવેલા સ્કાયસિટી બિલ્ડિંગમાં ગુરુવારે સવારે ૮ કલાકના પગલે સી બ્લોકના ત્રીજા માળ ઉપર આવેલા ફલેટ નંબર-૩૦૨માં આગ લાગી હતી.જેનો ધૂમાડો છેક પંદરમા માળ સુધી પહોંચતા રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઉપરના માળ ઉપર રહેતા ૫૦ લોકો જીવ બચાવવા ટેરેસ ઉપર જતા રહયા હતા.તમામને ફાયર વિભાગની ટીમ દ્વારા સીડી દ્વારા સુરક્ષિત નીચે ઉતારવામા આવ્યા હતા. શોટ સરકીટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે.આ ઘટનામા કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહતી.

ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આગ અંગે કોલ મળતાની સાથે છ વોટર  બાઉઝર, એક મિની ફાયર ફાઈટર, એક વોટર ટેન્કર તેમજ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ફાયર વિભાગના અધિકારીઓ અને ૪૧ ફાયરમેનો દ્વારા મોટાપાયે રેસ્કયૂ અને ફાયર ફાઈટીંગ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ. ફાયર અધિકારી જયેશ ખડીયાના કહેવા મુજબ, બિલ્ડિંગમાં  આવેલી ફાયર સિસ્ટમની મદદથી આગને ઝડપથી કાબૂમા લઈ શકાઈ હતી. હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવાની જરુર પડી હતી. અલગ અલગ ટીમ પૈકી એક ટીમે ટેરેસ ઉપર રહેલા  રહીશોને સીડી દ્વારા સલામત નીચે ઉતારવાની કામગીરી કરી હતી.