Gujarat
કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી
By GS TEAM
23 Apr 20261 min read

ફાયર બ્રિગેડી એક ગાડી પાણી છાંટી આગને કાબૂમાં લીધી
મોડી રાત્રે લાગેલી આગને કારણે દોડધામ,મકાનમાં રાખવામાં આવેલ ઘરવખરી ખાક
ભાવનગર: શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગર ખાતેના આવાસ યોજનાના બ્લોક નં.ઈ, રૂમ નં. ૦૩૦૩માં ગત મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર ફાઇટરો સ્થળ પહોંચ્યા હતા.અને લાવેલી આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમા લીધી હતી.આગ માં ઘરવખરી ખાક થઈ જવા પામી હતી.
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગરના મુખ્યમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર ઇ ૩૦૩ માં રહેતા હિતેશભાઈ તિલકચંદ પરમારના મકાનમાં ત્રીજા માળે ગત મોડી રાત્રિના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ત્રીજા માળે લાગેલી આગના કારણે મુખ્ય મંત્રી આવાસ યોજનામાં દોડધામ મચી જવા પામી હતી.આ બનાવની જાણ થતાની સાથેજ ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને લાગેલી આગ પર એક ગાડીનો પાણીનો છંટકાવ કરી આગને કાબુમા લીધી હતી.આગમાં ઘરવખરી ખાક થઈ જવા પામી હતી.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી









