Gujarat
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ
By GS TEAM
27 Mar 20261 min read

વડોદરાઃ કાળઝાળ ગરમી દરમિયાન ખુલ્લા ઘાસ અને ઝાડીઓમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે.જે દરમિયાન આજે બપોરે વધુ એક બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલી ખુલ્લી જમીનમાં ઉગેલા ઝાડી ઝાંખરામાં આજે બપોરે કોઇ કારણસર આગ લાગતાં ઝડપભેર આગ પ્રસરી હતી.જેેને કારણે ધુમાડાના ગોટેગોટા છવાતાં આસપાસના રહેણાંક વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ફાયર બ્રિગેડની મદદ લેવાતાં પોણો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.









