Get The App

વરસાદી ગટરની સફાઇ નહીં કરાતા રોગચાળો ફેલાવાની ભીતિ

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
વરસાદી ગટરની સફાઇ નહીં કરાતા રોગચાળો ફેલાવાની ભીતિ 1 - image


વિરમગામમાં ભરવાડી દરવાજામાં ગટર ઉભરાતા નર્કાગાર જેવી સ્થિતિ

વરસાદી પાણીની નિકાલની ગટર તેમ જ ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત

વિરમગામવિરમગામ શહેરના ભરવાડી દરવાજા અંદર આવેલી વરસાદી પાણીની નિકાલની ગટર તેમ જ ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા વેપારીઓ અને રહીશો દ્વારા ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી રૃબરૃ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

?વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે વિરમગામ શહેરના ભરવાડી દરવાજાથી મંડળીવાસ સુધી છેલ્લા કેટલાય મહિનાઓથી દૂષિત ગટરના ગંદા પાણી અખંડ ઉભરાવાની સમસ્યા જાહેર માર્ગ ઉપર નિત્યક્રમ બની ગઈ છે જેના કારણે આજુબાજુના રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. દૂષિત પાણી ભરાઇ રહેવાના કારણે રોગચાળ ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. ઉભરાતી ગટરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે તે માટે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરોળ તંત્રનું પેટનું પાણી નહીં હલતા વેપારીઓ, વિસ્તારના રહીશો, વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો, નગરપાલિકા કચેરી ખાતે આવી ચીફ ઓફિસરને નગરપાલિકાના પૂર્વ સદસ્ય યાસીન ભાઈ મંડલી દ્વારા ઉગ્ર રજૂઆત કરી સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા જણાવ્યું હતું અને વરસાદી ગટરની હજી સુધી સાફ-સફાઈ કરવામાં આવેલ નથી તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

Tags :