Get The App

કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય 1 - image

- સુપ્રીમ કોર્ટના આદેશનું પાલિકા પાલન કરે તેવી માંગ

- નડિયાદ- મોડાસા રોડ, બસ સ્ટેશન, ટાઉન હોલ સહિતના વિસ્તારમાં રસ્તા પર પશુઓનો અડિંગો

કપડવંજ : કપડવંજ નગરમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ વકર્યો છે. રસ્તા ઉપર બેઠેલા પશુઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે પાલિકા તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને ઘોળીને પી ગયું હોય તેમ કાર્યવાહી કરવામાં ઠાગાઠૈયા કરતું હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

કપડવંજ ખાતે નડિયાદ મોડાસા રોડ, બસ સ્ટેશન, ટાઉન હોલ, ત્રિવેણી પાર્ક, ડાકોર રોડ, નગરપાલિકા વિસ્તાર રત્નાગીરી રોડ, આઝાદચોક, મીના બજાર સહિત નગરના સંખ્યાબંધ રસ્તાઓ પર ગાયો, આખલા અને રખડતા શ્વાનોના કારણે રાહદારીઓ, વાહન ચાલકોને અકસ્માતના કિસ્સાઓ વધ્યા છે. છતાં નગરપાલિકાના સત્તાધીશો રખડતા પશુઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે.  તમામ મહાપાલિકા, નગરપાલિકા સતત પેટ્રોલિંગ કરી રખડતા પશુઓને અલગ આશ્રયસ્થાનમાં પૂરે અને રખડતા શ્વાનોનું ખસીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ કરાઈ છે. ત્યારે કપડવંજ પાલિકા જવાબદારી સ્વીકારી રખડતા ઢોરને પાંજરે પૂરવાની કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠી છે.