કિસાન સંમેલનમાં ખેડૂતોના હિતની વાતો થશે પણ અનેક સમસ્યા ઉકેલાઇ નથી
- બે કંપની વીજ લાઇનનું યોગ્ય વળતર ચૂકવતી નથી, ગામે ગામ ભુંડના ત્રાસથી પાક લેવામાં મુશ્કેલી, હવે બે માવઠાથી ડાંગરને મોટું નુક્સાન થયું છે
સુરત
રાજયના
મુખ્યમંત્રી ગુરૃવારે સુરત જિલ્લામાં કિસાન સંમેલનમાં પધારી રહ્યા છે ત્યારે આ
સંમેલનમાં ખેડુતોના હિતની વાતો કરવાની સાથે સાથે હાલમાં જ ખેડુતો પર જે આફતો પર
આફતો આવી રહી છે.તે કમોસમી માવઠાના કારણે થયેલ નુકસાન, પાવરગ્રીડ લાઇનના વળતર,
રસાયણિક ખાતરની ચોરી જેવા ખેડુતોને સ્પર્શતા મુદ્વાને લઇને પણ
ખેડુતોના હિતમાં જાહેરાત કરીને હાલમાં જે આર્થિક નુકશાન વેઠી રહ્યા છે. તેમાં પગભર
થાય તેવી માંગ ખેડુત સમાજમાંથી ઉઠી રહી છે.
બારડોલીના સાકરી ગામે આવતીકાલ ગુરૃવારે કિસાન સંમેલન યોજાઇ રહ્યુ છે. આ સંમેલનમાં સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે પાંચ હજાર ખેડુતો ભાગ લેનાર છે. આ સંમેલનમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્વ પટેલ પણ હાજર રહેવાના છે.આ સંમેલનને લઇને સુરત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ પરિમલ પટેલના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી કિસાન સંમલેનમાં જ આવી રહ્યા હોઇ તો ખેડુતોના હિતમાં પણ નિર્ણયો જાહેર કરવા જોઇએ. કેમકે હાલમાં કમોસમી માવઠાના કારણે ખેડુતોને ડાંગર સહિતના પાકોમાં વ્યાપક નુકશાન થયુ છે. આથી ખેડુતોના હિતમાં પેકેજ જાહેર કરવુ જોઇએ. સૌથી વધુ મહત્વની બાબત બીજી એ છે કે હાલમાં સુરત જિલ્લામાંથી પાવરગ્રીડ અને સ્ટર્લાઇટ કંપનીની વીજ ટ્રાન્સમીશનની લાઇન પસાર થઇ રહી છે. અને આ લાઇનને લઇને ખેડુતો વળતરના મુદ્વે જોરશોરથી લડત ચલાવી રહ્યા છે. અને હાલમાં કામગીરી પણ બંધ કરાવી દીધી છે ત્યારે મુખ્યમંત્રીએ ખેડુતોના હિતમાં ખેડુતોને સારામાં સારુ વળતર મળે તેવી જાહેરાત કરવી જોઇએ.
અન્ય ખેડુત અગ્રણી જણાવે છે કે ખેડુતોને જે સબસીડાઇઝ રસાયણિક ખાતર આપવામાં આવે છે. તેની ધૂમ ચોરી થઇ રહી છે. છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે.તો ખેડુતોએ ખેતરમાં ખેતીપાકને પાણી આપવા માટે જે ઇલેકટ્રીક મોટરો મુકી હોય છે. તેની પણ અવારનવાર ચોરી થતી હોવાની ખેડુતોની ફરિયાદ હોય છે.આ કેસમાં ચોરો સામે દાખલારૃપ કાર્યવાહી થવી જોઇએ. આ ઉપરાંત સૌથી મહત્વનું ખેતીપાકને વ્યાપક નુકશાન પહોંચાડનાર ભુંડના કિસ્સામાં પણ સરકારે ખેડુતોના હિતમાં નિર્ણયો લેવા જોઇએ.