લીંબડીમાં સરકારી ગોડાઉનમાં બાજરીના સેમ્પલ રિજેક્ટ થતાં ખેડૂતોમાં રોષ
તપાસમાં
સેમ્પલ ફેલ થતાં ખેડૂતોને ધરમધક્કા
બાજરીનું
સેમ્પલ ધારાધોરણ પ્રમાણે આવ્યા ન હોવાથી રદ્દ કરવામાં આવ્યા હોવાનો અધિકારીનો દાવો
લીંબડી
- લીંબડી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા
બોર્ડ નિગમ સરકારી અનાજ ના ગોડાઉનમાં ખેડૂતો ના બાજરા ની ખરીદી ના કરવામાં આવતાં
ખેડૂતો રોષે ભરાયા હતા. જેમાં બાજરાનું સેમ્પલ સરકારી ધારા ધોરણ રિજેક થતાં તંત્ર
દ્વારા ખરીદી કરવામાં આવી ન હતી.
વઢવાણ
તાલુકાના રામપરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરાની
ખરીદી કરવા માટે સરકાર ની ગાઈડન્સ પ્રમાણે રૃપિયા ૫૮૫ની ખરીદી પ્રમાણે ઓનલાઈન ૨૦
ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાં રામપરા ગામના આંઠ ખેડૂતોને તા.૧૦ જુને
સાંજે મેસેજ આવ્યો હતો કે લીંબડી તા.૧૧ જુને સવારે ૮ વાગ્યે ખેડૂતોએ બાજરો સાફ
કરીને લઈ આવવાનું છે.
જેથી રામપરા ગામના ખેડૂતો
વહેલી સવારે ૮ વાગ્યાના ટ્રેકટરમા બાજરો લઈને આવ્યા હતા. પરંતુ તંત્રના અધિકારીઓ
સવારે ૮ વાગ્યે આવવાના બદલે બપોર ના ૧ વાગ્યે આવ્યા હતા. અને આવીને અમારા બાજરાના
નમુના લઈને સરકારી નિયમો અનુસાર તેમન લેબ મા ચેક કર્યા હતાં. જે તમામ ખેડુતોના
બાજરાના સેમ્પલ રીજેકટ થતાં તંત્ર દ્વારા બાજરાની ખરીદીના કરવામાં આવતાં તમામ
ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે
જે કોઈ ખેડૂતોએ બાજરાનું રજિસ્ટ્રેશન કરાવેલ હોય અને ખેડૂતોને બાજરાની ખરીદી નો
મેસેજ આવે તો કોઈ ખેડૂતોએ તાત્કાલિક બાજરો ટ્રેકટર કે અનય વાહનોમાં ભરીને જવું
નહીં પહેલા તમારા બાજરાનું સેમ્પલ લઈને જાઓ. જો તમારા બાજરાનું સેમ્પલ પાસ થાય તો
કોઈ પણ વાહનમાં ભરીને જવું. સીધો બાજરો ભરીને જશો અને બાજરાનું સેમ્પલ રીજેકટ થશે
તો તમારે હેરાનગતિ વધી જશે. અને વાહન ભાડું પણ માથે પડશે. જ્યારે આ બાબતે સરકારી અનાજના ગોડાઉનના અધિકારી
દિગ્વિજયભાઈ જાદવ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સરકારી ધારાધોરણ મુજબ એક પણ
ખેડૂતોના બાજરાના સેમ્પલ પેરામીટર પ્રમાણે આવ્યા ન હોવાથી રીજેકટ કરવામાં આવ્યા
છે.