તળાજાના પાદરી(ભં) ગામે ટ્રેકટર રિવર્સમાં આવતાં ખેડૂતનું મોત
- ખેડીત અને ભાગીયો ખેતર ખેડવાનું કામ કરી રહ્યાં હતા
- ભાગીયાને પગના ભાગે ઈજા થતાં સારવારાર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો : પોલીસે તજવીજ શરૂ કરી
તળાજા : તળાજા તાલુકાના પાદરી(ભં) ગામે ખેતરના ખેડકામ દરમિયાન ટ્રેકટર પાછું આવતા ખેડૂતનું મોત નિપજ્યું હતું. જયારે, ભાગીયાને ઈજા પહોંચી હતી.
તળાજા તાલુકાના પાદરી ગામે સર્જાયેલા અકસ્માતના બનાવ અંગે મળતી વિગતો મુજબ પાદરી(ભં) ખાતે રહેતા રાજુભાઇ રામભાઈ ભમ્મર (ઉ.વ.૪૫) તથા તેના ભાગીયા લાલભાઈ વશરામભાઈ ટ્રકેટરમાં સાંતી જોડવાનું કામ કરી રહ્યાં હતા, તે સમયે અચાનક જ ટ્રેકટર રિવર્સ આવતા સર્જાયેલા અકસ્માતમાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ખેડૂત રાજુભાઇ ભમ્મરને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું કરૂણ મોત થયું હતું. જ્યારે ભાગીયા લાલભાઈને પગના ભાગે ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદની તજવીજ શરૂ કરી હતી.