Gujarat

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

By GS TEAM
21 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયંતીભાઈ ભગવાનજીભાઈ પટેલ નામના 62 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં કુવાના કાંઠે પાણીની પાઇપલાઇન રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનો એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયંતીભાઈ ભગવાનજીભાઈ પટેલ નામના 62 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં કુવાના કાંઠે પાણીની પાઇપલાઇન રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનો એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગ જયંતીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને જયંતીભાઈ પટેલના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.